સુરત,તા.18
હીરા ઉદ્યોગમાં લાંબા વખતથી ચાલતી મંદીમાં ખાસ કરીને કારીગરોની હાલત ખરાબ છે ત્યારે વધુ એક કારીગરે આર્થિક સંકડામણથી કંટાળીને પરિવાર સાથે આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી છે. મુળ સૌરાષ્ટ્રના અને સુરતમાં રહીને હીરા ઘસવાનું કામ કરતા યુવકે પત્ની-પુત્ર સાથે નદીમાં ઝંપલાવી દીધુ હતું તેમાં ત્રણેયના મોત નિપજયા હતા.
તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક એક જ પરિવારના ત્રણ સભ્યોએ તાપી નદી પર બનેલા બ્રિજ પર કૂદકો મારી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂ કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બે પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે.
તો બીજી તરફ સ્થાનિક પોલીસને બનાવની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકો મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હતા. મૃતક વિપુલભાઈ હીરાના ધંધા સાથે સંકળાયેલા હતા અને આર્થિક સંકડામળના પરિવારે આત્મહત્યા કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy