રાજકોટમાં ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો આંકડો 15 થયો : NIA ની ટીમ પણ તપાસમાં જોડાશે

Gujarat | Rajkot | 30 April, 2025 | 05:24 PM
પકડાયેલ બાંગ્લાદેશીઓમાં હાલ કંઈ શંકાસ્પદ સામે નથી આવ્યું, મોટા ભાગની મહિલાઓ વેશ્યાવૃત્તિ, સ્પામાં, પુરુષો મજૂરીકામ સાથે જોડાયેલા : ઉચ્ચ સ્તરીય તપાસ થયાં બાદ કેન્દ્ર સરકારને રિપોર્ટ કર્યા બાદ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે
સાંજ સમાચાર

રાજકોટ. તા.30
પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ ઝીંદગીનો ભોગ લેવાયો હતો. જેમાં દેશભરમાં આક્રોશ છવાયો હતો અને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યને જાણ કરી ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓની ઓળખ મેળવી ડિપોર્ટ કરવા માટેના કરેલ આદેશ બાદ રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું. 

જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને એડી. સીપી મહેન્દ્ર બગડીયા અને ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમોએ શહેરભરમાં દરોડા પાડ્યા હતાં અને રામનાથપરા, કરણપરા ભગવતીપરા સહિતના વિસ્તારોમાં જઈ સઘન તપાસ આદરી પહેલાં મહિલાઓ સાહિત 13 બાંગ્લાદેશીઓને પકડ્યા બાદ વધુ બે શખ્સોને પકડી તપાસનો દોર તેજ બનાવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, સરકારના આદેશ મુજબ શહેર એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, પીસીબી, સ્થાનીક પોલીસ સહિતની ટીમોએ શહેરભરમાં તપાસનો ધમધમાટ આદરી ભગવતીપરા, કરણપરા, ખોડિયારપરા અને શીતલપાર્ક વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતાં 13 બાંગલાદેશીઓને પકડી પાડી સ્ટેટ અને નેશનલ એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો હતો. 

ત્યારે તે તપાસ યથાવત રહેતાં બી. ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ભગવતીપરા વિસ્તારમાંથી વધું બે બાંગ્લાદેશીઓને પકડી પાડી તેમની સઘન તપાસ હાથ ધરી હતી. તેમજ એટીએસ સહિતનો સેન્ટ્રલ અને સ્ટેટ લેવલની 10 થી વધી એજન્સીઓ રાજકોટમાં ઉતરી આવી હતી.

એસઓજીની ટીમને સાથે રાખી પકડાયેલ બાંગ્લાદેશીઓની સઘન પૂછતાછ હાથ ધરી ઇન્ટ્રોડકસન કરવામાં આવ્યું હતું. જેમાં પકડાયેલ 9 મહિલા, એક સગીર સહિત 15 લોકોમાંથી હાલ કંઈ શંકાસ્પદ ગતિવિધિ મળી ન હતી.

હાલ મળતી વિગત મુજબ, આવતીકાલ સુધીમાં એનઆઈએની ટીમ પણ રાજકોટમાં આવશે અને તે પણ પકડાયેલ બાંગ્લાદેશીઓની પૂછતાછ કરી વિદેશ મંત્રાલયને રિપોર્ટ કરશે. જે બાદ બાંગ્લાદેશ સરકારને મોકલી તેની ખરાઈ કરવામાં આવશે. પકડાયેલ શખ્સ બાંગ્લાદેશનો હોવાનું ક્ધફર્મ થતાં જ તેને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.

સોની બજારમાં મોટા ભાગના બંગાળી કારીગર, બાંગ્લાદેશી શોધવા પોલીસ ઊંધામાથે
રાજકોટમાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશી અને પાકિસ્તાનિઓને પકડવા પોલીસનો દરોડાનો દોર યથાવત રાખ્યો છે. ત્યારે સોની બજારમાં કામ કરતાં મોટા ભાગના કારીગરો બંગાળી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી એસઓજી સહિતની પોલીસને બાંગ્લાદેશી શોધવા મુશ્કેલ કામ બની રહ્યું છે. ત્યારે પોલીસના દરોડા યથવાત રહ્યાં છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj