(અનીલ રાજા) પોરબંદર,તા.9
પોરબંદરમાં 70 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે 3 લોકોનું અપહરણ કરી ગોંધી રાખવા મામલે હિરલ બા ની ધરપકડ પાડ અનેક નવા ખુલાશા થઇ રહ્યા છે ત્યારે હાલ અનેક બેંક ખાતા ઓ ની તપાસ ચાલી રહી છે.
પોલીસે કુછડી ગામના ભનુભાઈ અરજણભાઈ ઓડેદરા ને ફરીયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા ,વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી જેમાં હિરલબા તથા હીતેશની ધરપકડ કરી હતી.
અને ત્રીજો આરોપી વિજય ભીમા ઓડેદરા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલ હોટલ માંથી ઝડપી લીધો આ સિવાય પોલીસ તપાસ માં મોટી રકમ નું ટ્રાન્ઝેક્શન થયું હોવાથી આઈટી વિભાગ સહીત લગત વિભાગ ને પણ જાણ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.
તો બીજી તરફ સ્વર્ગસ્થ ભુરાભાઈ મુંજાભાઈ જાડેજાના વિદેશ સ્થિત પત્ની ચૌલાબેન ઠકરાર દ્વારા પણ એસપી ને ઈમેઈલ કરી હિરલબા સામે કેટલાક આક્ષેપ કર્યા હોવાનું જાણવા મળે છે આથી પોલીસે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ચૌલાબેન પણ પોરબંદર આવી પોલીસ ને નિવેદન આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
એ સિવાય કર્ણાટકમાં થયેલ કરોડોના સાયબર ક્રાઈમમાં પણ કેટલીક રકમ પોરબંદરના કેટલાક શ્રમિક અને સામાન્ય વર્ગના લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ હતી જે મામલે પોલીસ તપાસમાં અનેક શ્રમિકોના બેંક ખાતા મળી આવ્યા છે જે મામલે પણ પગેરું હિરલ બા સુધી પહોચવાની ચર્ચા ચાલી છે અને તેમાં પણ હિરલબા નું નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે એટલું જ નહિ પરંતુ આ મામલે બેંક ખાતા ઓની શ્રમિકોના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy