વેરાવળમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને મૌન રેલી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Local | Veraval | 28 April, 2025 | 12:23 PM
સાંજ સમાચાર

જમ્મુ-કાશ્મીર આતંકી હુમલા વિરોધ માં વેરાવળમાં મૌન રેલી નીકળેલ હતી જેમાં ટાવર ચોકથી રાજમાર્ગો પર આ રેલીમાં વિશાળ સંખ્યામાં ભાઇ-બહેનો જોડાયેલ હતા અને ભુદેવો દ્વારા શાંતિપાઠનું પઠન કરવામાં આવેલ હતું. વેરાવળમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા હિન્દુ સમુદાય દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાવર ચોકથી શરૂ થયેલી આ મૌન રેલીમાં અંદાજે બે હજારથી વધુ ભાઇ-બહેનો જોડાયા હતા.

આ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ભૂદેવો દ્વારા શાંતિ માટે પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. રેલીમાં વિવિધ સામાજિક, રાજકીય અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. સમગ્ર હિન્દુ સમુદાયે આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ઘેરો આક્રોશ જોવા મળ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj