જમ્મુ-કાશ્મીર આતંકી હુમલા વિરોધ માં વેરાવળમાં મૌન રેલી નીકળેલ હતી જેમાં ટાવર ચોકથી રાજમાર્ગો પર આ રેલીમાં વિશાળ સંખ્યામાં ભાઇ-બહેનો જોડાયેલ હતા અને ભુદેવો દ્વારા શાંતિપાઠનું પઠન કરવામાં આવેલ હતું. વેરાવળમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા હિન્દુ સમુદાય દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાવર ચોકથી શરૂ થયેલી આ મૌન રેલીમાં અંદાજે બે હજારથી વધુ ભાઇ-બહેનો જોડાયા હતા.
આ રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. આ પ્રસંગે ભૂદેવો દ્વારા શાંતિ માટે પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. રેલીમાં વિવિધ સામાજિક, રાજકીય અને સેવાકીય સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. સમગ્ર હિન્દુ સમુદાયે આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ઘેરો આક્રોશ જોવા મળ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy