(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.28
ગત તા. ર4ના રોજ વહેલી સવારે અમરેલી નજીક સાવરકુંડલા રોડ ઉપર આવેલ ચક્કરગઢ ગામના પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે આશરે પ વર્ષની ઉંમર ધરાવતી એક સિંહણને હડફેટે લઇ સિંહણના શરીર પર વાહન ચડાવી દઈ વન્ય પ્રાણીના માંસના લોચાઓથી હાઈવે માર્ગ રકતરંજિત થઇ જવા પામેલ હતો. આ બનાવમાં સિંહણનું મોત થતાં સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનવાની જાણ થતાં જ લીલીયા રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સિંહણના મૃતદેહને તાત્કાલિક ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી અને પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ હતું.
જેમાં આ સિંહણનું મોત રોડ અકસ્માતમાં થયાનું જાહેર થવા પામેલ છે. આ સિંહણને હડફેટ લઇ અકસ્માત કરી સિંહણનું મોત નિપજાવનાર અજાણ્યા વાહનચાલક ફરાર થઈ જનારા વાહન ચાલકને ઝડપી લેવા વનવિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
આ બનાવમાં લીલીયા રેન્જનો સ્ટાફ ઘટના સ્થળ આજુબાજુના 10 જેટલાં અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસી તથા પોલીસ અને નેત્રમ દ્વારા મળેલ સહકારથી અજાણ્યા વાહનની શોધખોળ આદરી હતી. ત્યારે ગઈકાલે મોડી રાત્રીના અમરેલીના કુંકાવાવ રોડ ઉપરથી આ સિંહણને હડફેટે લઇ મોત નિપજાવનાર ટ્રક નંબરજી.જે.-03 બી.ટી.- 779પ સાથે અકસ્માત કરનારા ટ્રક ચાલક રાજુ પરડીયા નામના ઇસમની અટકાયત કરવામાં આવેલ હોવાનું વનવિભાગ દ્વારા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy