રાજકોટ તા.20
વાવડીમાં આવેલ સ્ક્રેપના કારખાનામાં દસેક દિવસ પહેલા આગ ભભુકી ઉઠી હતી. જ્યાં કારખાનાંમાં કામ કરતાં ત્રણ શ્રમિકો ગંભીર રિતે દાઝી જતા તાકિદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક શ્રમિક યુવકનું સારવારમાં મોત નિપજ્યું છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાવડી ઈન્ડસ્ટ્રીયલ સત્યનારાયણ વે બ્રિજ પાછળ આવેલા ઝા એન્ટરપ્રાઈઝ સ્ક્રેપના કારખાનામા દસેક દિવસ પહેલા પ્રેસ મશીનરીમાં આગ ભભુકતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવ અંગે કારખાનાના માલિક ચંદુભાઈ ઝાએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ફાયટરો સ્થળ પર દોડી જઈ સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
કારખાનાંમાં આગ લાગી દરમિયાન કારખાનામાં કામ કરતા ઉદયરાજ પ્યારેભાઈ યાદવ (ઉ.વ.45) અને મગરે ભગવાનદાસ યાદવ (ઉ.વ.30) અને અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા હતા. બાદ ત્રણેયને સારવારમાં ખસેડાયા હતા. જેમાં ઉદયરાજ યાદવએ સારવારમાં દમ તોડી દેતાં ગમગીની છવાઈ ગઈ છે. બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહિ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy