નિવૃતિ પછી પણ વિરાટ અને રોહિતનો એ+ ગ્રેડ ચાલુ જ રહેશે

India, Sports | 16 May, 2025 | 03:26 PM
રોહિત અને વિરાટ બંને બીસીસીઆઈના એ પ્લસ સેન્ટ્રલ કરારનો ભાગ છે. ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધાં બાદ પણ બીસીસીઆઇએ તેને આ ગ્રેડમાં જ રાખવાનો નિર્ણય લીધો
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.16
વિરાટ કોહલી અને રોહિત શર્માએ હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જેના કારણે ભારતીય ક્રિકેટમાં મોટું પરિવર્તન આવ્યું છે. બંને ખેલાડીઓ બીસીસીઆઈના એ+ ગ્રેડના કરાર હેઠળ છે.

હવે તેઓ માત્ર વન ડે ક્રિકેટ રમતાં જોવા મળશે. રોહિત અને કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેતાની સાથે જ સૌથી મોટો સવાલ એ હતો કે, હવે તેમને બીસીસીઆઇના એ પ્લસ કોન્ટ્રાક્ટમાં રાખવામાં આવશે કે નહીં

તેમાં કોઈ ફેરફાર થશે નહીં 
વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને ભારતીય ક્રિકેટના મોટા સ્ટાર્સ છે. તેની નિવૃત્તિએ ટીમમાં એક ખાલીપો આવ્યો છે. જોકે બીસીસીઆઇએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેમના ગ્રેડ એ+ કોન્ટ્રાક્ટમાં કોઈ ફેરફાર કરવામાં નહિ આવે.

"વિરાટ કોહલી અને રોહિત શર્માનો ગ્રેડ એ (+) કરાર ટી -20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધાં પછી પણ ચાલું રહેશે. તેઓ હજુ પણ ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો છે, અને તેમને ગ્રેડ એ (+)ની તમામ સુવિધાઓ મળશે. 

આ એક મહાન કારકિર્દી રહી છે 
બીસીસીઆઈએ એપ્રિલમાં 2024/25 માટે ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. જેમાં કોહલી, રોહિત, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ગ્રેડ એ પ્લસમાં સામેલ કરવામાં આવ્યા હતા. કોહલીની ટેસ્ટ કારકિર્દી શાનદાર રહી હતી. તેણે 123 ટેસ્ટમાં 46.85ની એવરેજથી 9,230 રન ફટકાર્યા હતા.

તેમાં 30 સદીનો સમાવેશ થાય છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 254 રન હતો. ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં તે ચોથા ક્રમે છે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર તેમનાથી આગળ છે. 

રોહિતે એ પણ જાહેરાત કરી 
રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે 67 મેચમાં 40.57ની એવરેજથી 4,301 રન બનાવ્યા હતા. તેમાં 12 સદીનો સમાવેશ થાય છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 212 રનનો હતો, જે તેણે 2019માં સાઉથ આફ્રિકા સામે નોંધાવ્યો હતો. તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારવામાં 16માં ક્રમે છે.

2024 માં ભારતે ટી -20 વર્લ્ડ કપ જીત્યાં બાદ બંને ખેલાડીઓએ ટી -20 થી પોતાને દૂર પણ રાખ્યાં હતાં. આ ઉપરાંત ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન ફટકારવામાં પણ કોહલી સામેલ છે. તેણે 1,292 રન બનાવ્યાં છે. જ્યારે ટી-20માં તે 4,188 રન સાથે બીજા ક્રમે છે. રોહિત શર્માએ ટી-20માં સૌથી વધુ 4,231 રન ફટકાર્યા છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj