જામનગર તા.18: જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષમાં બનનારા રીવર ફ્રન્ટમાં ઉપયોગી અને પુરક થાય તે રીતે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત નદી ઉંડી ઉતારવાના શરુ થયેલા કાર્યના ફળ સ્વરુપે શહેરની નદી કાંઠાની સોસાયટીઓના જળ સ્તર સુધરવા સાથે નદીની જળ સંગહ ક્ષમતામાં વધારો થવાથી વધુ 15 કરોડ લીટર પાણી સંગ્રહ થઈ શકશે. આ કામગીરીમાં રિલાયન્સ કંપનીનો સહયોગ મળ્યો છે. અન્ય કંપનીઓનો અને સંસ્થાઓનો સહયોગ પણ મેળવવા તંત્રએ પ્રક્રિયા હાથ ધરી છે.
શહેરમાં લાલપુર બાયપાસથી પ્રવેશતી રંગમતી નદીના વહેણના બંને કાંઠા તરફ હવે સોસાયટીઓ વસવા લાગી છે અને આગામી એકાદ વર્ષમાં મહાનગરપાલિકાના રીવર ફ્રન્ટને પણ સરકાર દ્રારા મંજૂરી મળ્યા બાદ રૂ.600 કરોડનો રિવર ફ્રન્ટ પણ આકાર લેશે.ત્યારે તેને પૂરક બની રહે તેવી નદી ઉંડી ઉતારવાની કામગીરી મહાનગરપાલિકાએ તા.15થી શરુ કરી છે.
બાદમાં મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ પણ કામગીરીનું નિરિક્ષણ કરીને સાથે રહેલા ઈજનેરો સાથે ચર્ચા કરી સુચનો કર્યા હતા. નદી ઉતારવાની શરુ થયેલી આ કામગીરી અંગે મ્યુ. કમિશનર ડી. એન. મોદીએ જણાવ્યું હતું કે, સુજલામ-સુફલામ કામગીરી અંતર્ગત શરુ થયેલી આ કામગીરીમાં આગામી દિવસોમાં હજી એક નહીં ચાર-પાંચ લોકેશનો ઉપર કામગીરી શરુ થશે. જે ચોમાસા સુધી ચાલુ રહેશે.
વધુમાં વધુ કાંપ કાઢી શકાય તે માટે 15 જેટલા હીટાચી મશીનો વરસાદના આગમન સુધી ચાલુ રહેશે. જે ખેડુતોને પણ આ કામગીરીનો લાભ લઈને પોતાના ખર્ચે કાંપ કાઢી જવો હોય તેઓને પણ તંત્ર દ્વારા છુટ આપવામાં આવશે.
આ કામગીરીનો ફાયદો એ થશે કે, શહેર આસપાસની નદી ઉંડી થવાથી વધારાનું 15 કરોડ લીટર પાણી નદીમાં સંગ્રહિત થઈ શકશે. તેવી ગણતરી છે અને તેના પરિણામરૂપે શહેરના નદી આસપાસના વિસ્તારોના ભુગર્ભ જળસ્તરમાં સુધારો થશે. તંત્રએ આ માટે રિલાયન્સ કંપનીનો ગણતરી છે અને તેના પરિણામરૂપે શહેરના નદી આસપાસના વિસ્તારોના ભુગર્ભ જળસ્તરમાં સુધારો થશે. તંત્રએ આ માટે રિલાયન્સ કંપનીનો સહયોગ મળ્યો છે. એસ્સાર-નયારા સહિતની કંપનીઓને સ્વાયત સંસ્થાઓને ઓનેપણ પણઆકાર્યમાંહિસ્સેદારી માટે જાણ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy