◙ વડાપ્રધાન મોદીના આંતરરાષ્ટ્રીય સંબંધો ‘કામ’ કરી ગયા: ગૃહમંત્રી અમીત શાહે ઘરઆંગણે મોરચો સંભાળી લીધો
◙ વિદેશમંત્રી એસ.જયશંકરે વિદેશી સરકારો સાથે ‘લાઈવ’ સંપર્ક કરી પાકને ખુલ્લુ પાડી દીધુ
◙ નાણામંત્રી નિર્મલા સીતારામન પાકનો ‘કટોરો’ ખાલી જ રહે તે નિશ્ચિત કરી રહ્યા છે
◙ દેશને સંદેશ: ભારત સુરક્ષિત છે, તેનું નેતૃત્વ સતર્ક છે, અને ચિંતા કરવાનું કોઈ કારણ નથીે
નવી દિલ્હી: ‘ઓપરેશન સિંદુર’માં પાક કબ્જાના કાશ્મીરમાં જે રીતે ત્રાસવાદી તાલીમ કેમ્પોનો સફાયો કર્યો અને 90થી 100 ત્રાસવાદીઓને ખત્મ કર્યા બાદ છેલ્લા 24 કલાકથી વઇ સમયથી ભારત-પાક દળો વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ છે. તે વચ્ચે હવે દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકોનો દોર છે.
ભારતે સ્પષ્ટ જાહેર કર્યુ છે કે ઓપરેશન સિંદુર ચાલુ જ રહેશે. દિલ્હીમાં સંરક્ષણ-ગૃહ મંત્રાલય અને સેનાના ‘વોર રૂમ’માં બેઠકો ચાલુ છે. આ વચ્ચે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, ચીફ ઓફ આર્મી જનરલ ઉપેન્દ્ર દ્વીવેદી, એરમાર્શલ એ.પી.સિંઘ અને નૌકાદળના વડા એડમીરલ દિનેશ ત્રિપાઠી તે પરીસ્થિતિની ચર્ચા કરી હતી તથા આગામી સમયના આયોજનની ચર્ચા કરી હતી.
યુદ્ધ જેવી સ્થિતિ અને હજુ પરીસ્થિતિ વણસી શકે છે તેવા ભારેખમ વાતાવરણ વચ્ચે પણ જે રીતે દિલ્હીમાં સરકાર ઠંડા કલેજે પરીસ્થિતિ સંભાળી રહી છે તથા સંરક્ષણમંત્રી અને સૈન્યની ત્રણેય પાંખના વડાઓ વચ્ચે બેઠકો ચાલુ છે.
તેમાં સૌ રીલેકસ દેખાય છે. જેના મારફત એ સંદેશો મોકલવામાં આવી રહ્યો છે. ભારત સલામત છે. પરીસ્થિતિ પુરેપુરી રીતે ભારતના કંટ્રોલમાં છે અને કોઈ ગભરાહટની જરૂર નથી.
આ બેઠકમાં શ્રી રાજનાથસિંઘે છેલ્લા 24 કલાકની પરીસ્થિતિની પરીક્ષા કરી હતી. બીજી તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે બેઠકોનો દોર ચાલુ છે અને રાજનાથસિંઘ દરેક પરીસ્થિતિની માહિતી વડાપ્રધાન સુધી પહોંચાડે છે.
તો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ બીએસએફ સહિતના અર્ધલશ્કરી દળો તથા અન્ય પ્રાદેશિક સેનાઓ વચ્ચે સંકલન કરીને આવશ્યક આદેશો આપી રહ્યા છે અને વિદેશમંત્રી શ્રી એસ.જયશંકર વિદેશ મોરચો સંભાળી રહ્યા છે. તેઓ દુનિયા વચ્ચે રાષ્ટ્રવડાઓ અને વિદેશમંત્રીઓ સાથે લાઈવ સંપર્કમાં રહીને ભારતનો પક્ષ મજબૂત કરે છે.
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ સહિતની સંસ્થાઓ પાસે પાક જે રીતે કટોરો લઈને ફરે છે તેમાં પાકને કોઈ મદદ ન મળે તે નિશ્ચિત કરે છે. યુદ્ધનો સતાવાર જાહેરાત પુર્વે જ જે રીતે ભારતે પાકના હવાઈ હુમલાને મારી હટાવ્યો અને એરડિફેન્સ સીસ્ટમની તાકાત બતાવી તે મહત્વનું સાબીત થયું છે.
ભૂમીદળ અને નૌકાદળ તેની પુરી તાકાતથી પાક સામે આવ્યુ નથી પણ લાંબા સમયથી જે રીતે ભારતે ધીમા પગલે આ દિવસોની તૈયારી કરી હતી ત ભાગ્યે જ પાકને ખ્યાલ આવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આંતરરાષ્ટ્રીય સંબંધો અત્યારે સૌથી વધુ મહત્વપૂર્ણ સાબીત થઈ રહ્યા છે અને કોઈ દેશ પાકનો હાથ પકડવા તૈયાર નથી.
ભારતીય સૈન્યએ પહેલા ઓપરેશન સિંદુર ખુબજ મર્યાદીત હેતુ સાથે રાખ્યુ અને પાકના સૈન્ય મથકોને ‘કોરા’ રાખીને ત્રાસવાદીઓને ટાર્ગેટ કર્યા પછી પાકેજ સામેથી મુશ્કેલી નોતરી લીધી અને ભારતને જવાબ આપવાની ચેષ્ટા કરી તેના માટે હવે આફત પુરવાર થઈ છે.
આમ પાકિસ્તાન પુરી રીતે ભારતના છટકામાં આવી ગયુ છે અને હવે તેને બહાર નિકળવાનો માર્ગ કોણ શોધી આપશે તે પ્રશ્ન છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભારતીય સુરક્ષાદળોના વડા સાથેની બેઠકમાં તમામના ચહેરા પર સ્મિત કહે છે
ભારત પાકિસ્તાનને મજબૂતીથી કચડી રહ્યું છે આજે દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ટોચના અધિકારીઓ પર આત્મવિશ્વાસ અને ભારતીય લશ્કરી કાર્યવાહીથી સંતોષ દેખાયો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy