જાલના (મહારાષ્ટ્ર) તા.30
પહેલગામ આતંકી હુમલાને લઈને મહારાષ્ટ્રના જાલના જિલ્લાના એક યુવક આદર્શ રાઉતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાઉતના જણાવ્યા અનુસાર આતંકી હુમલાના એક દિવસ પહેલા એક શંકાસ્પદ વ્યક્તિએ તેની સાથે વાત કરતા પૂછયું હતું- હિન્દુ હો કયા? કશ્મીરી નહીં લગતે.
રાઉતના જણાવ્યા મુજબ તે 21 એપ્રિલે બાયસરન ખીણમાં ઘોડેસવારી કરવા ગયો હતો. ત્યાં એક મેગી સ્ટોલ પર ખાવાનું ખાતો હતો ત્યારે એક શખ્સ તેની પાસે આવ્યો હતો અને તેને પૂછયું હતું કે હિન્દુ છો કેમ? તમે કાશ્મીરી તો નથી લાગતા.
રાઉતે જણાવ્યું હતું કે, આ સાંભળીને મને અસહજ લાગ્યુ હતુ, ત્યારબાદ શંકાસ્પદ શખ્સે આગળ પોતાના સાથીને કહ્યું હતુ કે આજે ભીડ ઓછી છે. રાઉતે જણાવ્યું હતું કે મને તે શખ્સની વાત અજબ લાગી હતી. પછી બીજા દિવસે જયારે આતંકી હુમલો થયો ત્યારે મને પુરી વાત સમજમાં આવી.
ઉલ્લેખનીય છે કે, જયારે એનઆઈએએ ત્રણ શંકાસ્પદોના સ્કેચ જાહેર કર્યા તો રાઉતે દાવો કર્યો હતો કે તેમાંથી એક શખ્સનો ચહેરો તે વ્યક્તિને મળતો આવતો હતો, જેને હું મળ્યો હતો.
રાઉતે જણાવ્યું હતું કે, મેં પુરી જાણકારી ઈ-મેલથી એનઆઈએને મોકલી દીધી છે. જેમાં તે વ્યક્તિ સાથે થયેલી વાતચીત, લોકેશન, તારીખ અને સ્ટોલવાળાને પૈસા ન દેવાની વાત પણ સામેલ છે.
રાઉતે જણાવ્યું હતું કે, જો તપાસ એજન્સી મારો સંપર્ક કરશે તો દરેક સંભવ સહયોગ આપવા તૈયાર છું પણ હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy