અણુ હુમલાની પાક.ની વારંવારની ધમકીની ‘હવા’ કાઢવા તૈયારી

ભારત અણુશસ્ત્રના નો - ફર્સ્ટ - યુઝ’ નીતિ છોડશે!?!

India | 30 April, 2025 | 03:49 PM
અણુશસ્ત્ર ધરાવતા દેશો સામે પ્રથમ ઉપયોગ માટે છૂટ મેળવાશે
સાંજ સમાચાર

નવી દિલ્હી: પહેલગામ હુમલાના પગલે હવે ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ વધી રહ્યો છે અને આજે દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસે સુપર કેબીનેટ કે વોર કેબીનેટ તરીકે ગણાતી સલામતી બાબતો ઉપરાંત આર્થિક બાબતો રાજકીય બાબતોની કેબીનેટ પેટા કમીટીની બેઠકો બાદ હવે કેબીનેટ બેઠક મળી રહી છે અને તેમાં પાકિસ્તાન સામેના એકશનની તૈયારી છે તે વચ્ચે ભારતે હવે પાકને મોટા બોધપાઠ શિખડાવવા તૈયારી કરી છે.

ગઈકાલથી જ ચાર રાફેલ વિમાન કાશ્મીર સરહદે ભારતીય સીમામાં ઉડયા હતા અને યુદ્ધ કવાયત કરી છે તથા પંજાબ સરહદે એન્ટી ડ્રોન સિસ્ટમ ગોઠવાઈ છે તે વચ્ચે ભારત એક મહત્વના નિર્ણયમાં અણુશસ્ત્રો અંગે વાજપેયી સરકારની નો-ફર્સ્ટ-યુઝ નીતિ પણ બદલાવી શકે છે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે પાકિસ્તાન અવારનવાર ભારત પર અણુ હુમલાની ધમકી આપે છે તે જોતા ભારતે જે રીતે અણુશસ્ત્રોનો પ્રથમ ઉપયોગ નહી પણ ભારત હુમલો કરે તો વળતા હુમલામાં અણુશસ્ત્રનો ઉપયોગ કરવાની જે નીતિ અપનાવી છે તે બદલી ભારત પણ જો દેશ પર ખતરો હોય તો અણુશસ્ત્રનો ઉપયોગ કરી શકે તે નિશ્ચિત બનાવશે. 

અગાઉ મોદી સરકારે આ સંકેત આપી દીધો હતો અને હવે આ સમયે પાક પર દબાણ લાવવા અને હાલનો તનાવ તથા પાકિસ્તાન પર થઈ શકતા હુમલામાં પુર્ણ યુદ્ધમાં ન પલટાય તે જોવા આ બદલાવ મહત્વનો બની જશે.

આમ આ અંગે સુરક્ષા અંગેની કેબીનેટ બેઠકમાં મંજુરી મેળવાઈ હોય તે પણ શંકા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj