મુંબઈ : ગત વર્ષે બોક્સ ઓફિસ પર સૌથી મોટી હિટ ફિલ્મ પુષ્પા 2 આપનાર અલ્લુ અર્જુન હવે પોતાનાં આગામી પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યો છે. અગાઉ એવાં અહેવાલ હતાં કે અલ્લુ અર્જુન ત્રિવિક્રમ શ્રીનિવાસની આગામી ફિલ્મનું કામ શરૂ કરશે.
પરંતુ કોઇ કારણસર આ ફિલ્મમાં વિલંબ થઈ રહ્યો છે. હવે એવાં સમાચારો છે કે ફિલ્મમેકર એટલીના આગામી પ્રોજેક્ટનું કામ શરૂ કરશે. અલ્લુ અર્જુને એટલી સાથે કામ કરવામાં રસ દાખવ્યો છે. સાથે જ સમાચાર આવી રહ્યાં છે કે જાન્હવી કપૂરનું નામ આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસની રેસમાં આગળ આવી રહ્યું છે.
જાન્હવી કપૂર છેલ્લે જુનિયર એનટીઆર સામે તેલુગુ ફિલ્મ દેવરામાં જોવા મળી હતી. જાન્હવી આગામી ફિલ્મમાં રામ ચરણની સાથે પણ જોવા મળશે, જેનું નિર્દેશન બુચી બાબુ સના કરી રહ્યાં છે. જાન્હવી આગામી દિવસોમાં અલ્લુ અર્જુન સાથે પણ જોવા મળી શકે છે. જો કે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઇ પુષ્ટિ થઇ નથી.
જાન્હવી કપૂરની અન્ય ફિલ્મોની વાત કરીએ તો તે આગામી દિવસોમાં વરૂણ ધવન સાથે ’સની સંસ્કારીની તુલસી કુમારીમાં જોવા મળશે, જેનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy