લખનૌ(ઉત્તરપ્રદેશ), તા. 9
પાકિસ્તાન તરફથી ચોરી છૂપીથી થતા હુમલાને લઇને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પોતાનો હરકતોના કારણે પોતાના અસ્તિત્વ માટે કરગરશે, ઘુંટણિયે પડશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે સેનાનું મનોબળ વધારવાનું છે, આપણા દેશ વિજયી છે અને વિજયી રહેશે. દેશના દુશ્મનો માટે ભારતમાં કોઇ જગ્યા નથી. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે, 22મી એપ્રિલની ઘટનાને અંજામ દેનાર પાકિસ્તાનનો ચહેરો બેનકાબ થઇ ચૂકયો છે.
પી.એમ. મોદીના નેતૃત્વમાં ત્રણેય સેનાઓના સંયુકત પ્રયાસોથી આતંકવાદીઓના મનસુબાઓ ચકચુર થઇ ગયા છે. પાકિસ્તાનના આતંકીઓના જનાજામાં પાકિસ્તાન સેનાના અધિકારી અને મંત્રી આ બાબતના પુરાવા છે કે, પાકિસ્તાન કેવી રીતે આતંકવાદની મદદ કરી રહ્યું છે.
મુખ્યમંત્રી યોગી મહારાણા પ્રતાપની જયંતિના અવસર પર હુસેન ગંજ ચોક પર આવેલ પ્રતિમાના બ્યુટીફીકેશનનું લોકાર્પણ કરતી વખતે સંબોધન કરી રહ્યા હતા.
યોગીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નાયકોની ભારતમાં જગ્યા છે. દેશ વિરોધીઓનું કોઇ સ્થાન નથી. પાકિસ્તાન પર નિશાન સાધતા યોગીએ કહ્યું હતું કે પાકિસ્તાન દુનિયા સામે કરગરી રહ્યું છે અને હજુ પણ બેશરમ ભરી હરકત કરે છે.
મહારાણા પ્રતાપની વીર ગાથાઓના બારામાં બતાવતા સીએએ જણાવ્યું હતું કે, આજે આવા વીરોના કારણે જ આપણે બધા આઝાદ છીએ. આ રીતે ભારતીય સેનાઓનું મનોબળ હિંમત જાળવી રાખવાના છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy