(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.9
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તાર ખાતે આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે ગઈકાલ સાંજે પાંચ શખ્સે યુવાનને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ખૂનના આ બનાવની જાણ થતા એસપી, ડીવાયએસપી, એલસીબી પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ બુદ્ધદેવ સર્કલ પાસે પ્લોટના પ્રકરણે વિશાલભાઈ બુધાભાઇ વાજા ( ઉ.વ.25 રહે ખેડૂતવાસ) ને આ જ વિસ્તાર ખાતે રહેતા રવિ, મહેશ,વલ્લભ ગેરેજવાળા,રાજેશ અને દિનેશ સાથે પ્લોટ બાબતે બોલાચાલી થઈ હતી.
તેની દાઝ રાખી ઉપરોક્ત પાંચ શખ્સે વિશાલભાઈને તિક્ષણ હાથિયારના ઘા ઝીંકી દેતાં તેને લોહીયાળ હાલતે હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં ફરજ પરનના તબીબે તપાસીને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે. જયારે, હત્યાના બનાવને લઈ સમગ્ર ખેડૂતવાસના બુદ્ધદેવ સર્કલ પાસે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
આ બનાવ ની જાણ થતાં એસ.પી. ડો. હર્ષદ પટેલ, ડીવાયએસપી ,એલસીબી પોલીસ, ઘોઘા રોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ બનાવ અંગે ડીવાય.એસ.પી.આર આર સિંઘલ જણાવ્યું હતું કે ,ઘોઘા રોડ પોલીસે રવિ નામના શખ્સને સ્થળ પરથી ઉઠાવી લીધો હતો.અને મૃતકના બેન અને મિત્રએ આ ઘટના નજરે નિહાળી હોવાનું અને સી.સી.ટીવી ફૂટેજ પણ કબ્જે લીધા હોવાનું ઉમેર્યું હતું. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy