પોરબંદરમાં મનપાએ દબાણ હટાવવા સુચના આપતા યુવાનનો આપઘાત : પરિવારનો આક્ષેપ

Local | Porbandar | 26 April, 2025 | 12:11 PM
ભોડાદર ગામે ગેસ લીક થતા રસોઇ બનાવતી માતા-પુત્રી દાઝી
સાંજ સમાચાર

(અનિલ રાજા) પોરબંદર, તા.26
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મનપા દ્વારા દબાણ દૂર કરવા મૌખિક આદેશ આપ્યા બાદ આયુવાન એ મોત મીઠું કર્યું હોવાના આક્ષેપો થયા છે. આ ઘટના યુવાનના મૃતદેહને પી.એમ.માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હરીશભાઈ દેવાભાઈ શિંગરખિયા નામના યુવાનના મકાન ખાલી કરવા માટે મહાનગરપાલિકા અધિકારી દ્વારા મૌખિક સૂચના આપી હતી.આ સૂચના ડરથી આ યુવાને તેમના ઘરે રૂમ અંદર ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાના પરિવારના સભ્યો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ યુવાનના મૃતદેહ પી.એમ.માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.- આ ઘટના બાદ પોલીસે પણ યુવાનના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માતા-પુત્રી દાઝયા:-
પોરબંદરના ભોડદર ગામે એક મકાનમાં ગેસ સીલીન્ડર ની નળી નીકળી જતા આગ લાગી હતી. આ ઘટનામાં માતા પુત્ર દાઝી જતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા - પોરબંદરના ભોડદર ગામે રહેતા ડાકી જયાબેન જગમાલભાઈ અને તેમનો પુત્ર મયુર જગમાલભાઈ બંને તેમના ઘરે જતા ત્યારે રસોડામાં રહેલ ગેસના ચૂલામાંથી ગેસની નળી નીકળી જતા આગ લાગી હતી.

આ આગની ઝપેટમાં માતા પુત્ર બન્ને દાઝી ગયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ માતા પુત્રને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj