2ાજકોટ તા.26
શાલીભ સરદારનગર સ્થાનક્વાસી જૈન સંઘ રાજકોટ ખાતે પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં આજીવન અનશન આરાધક શાસન રત્ના ગુરૂમા પૂફ. નર્મદાબાઈ મ઼સ.ની ત્રીજી પૂણ્યતિથિ - ગુણાંજલિ પ્રસંગે પૂ.વનિતાબાઈ મ.સ. આદિ મહાસતીજી વૃંદની ઉપસ્થિતિમાં સુચિત્રા મહેતાના ગીત બાદ પૂ. જિજ્ઞાજી મ઼સ., પૂ. પુનિતાજી મ઼સ. એ ગુણનુવાદ ક2ેલ પૂ. બંસ2ીજી મ.સ., પૂ. મુક્તિશીલાજી મ઼સ.એ ગુણાજંલિ ગીત રજૂ ક2ેલ. હરેશભાઈ વોરા, પ્રવીણભાઈ કોઠારી, રંજનબેન પટેલ, હીનાબેન વગેરેએ ગુણાંજલિએ સૂર પુરાવી અભિવંદના કરેલ.
9પ વર્ષ વયે 68 વર્ષના દીક્ષા પર્યાય સહિત દિવાલના ટેકા વગરે,રોજ હજારો શ્ર્લોકના સ્વાધ્યાય દ્વા2ા 8 દિવસ સંથારાની આરાધના કરી ઈન્પ્રસ્થનગર સંઘને તીર્થભૂમિ બનાવનાર પૂ. નર્મદાબાઈ મ઼સ.ની શૌર્યતા, ધૈર્યતા અને શાલીનતા દર્શવાતા ગુરુદેવે કહેલ કે ઈચ્છાઓ સઘળી ફળે, જેને ગુરુની કૃપા મળે.
પૂ. વનિતાબાઈ મ઼સ. એ જન્મદાત્રી, જીવનદાત્રી, સંયમદાત્રી ગુ2ુમાના ઉપકારને સ્મરણમાં લાવી તપ-ત્યાગ-તિતિક્ષ્ાાના માર્ગે આગળ વધવા શીખ આપી હતી. રાજકોટના વિવિધ સંઘો, જામનગર, ધ્રોલ વગેરેના ભાવિકોની હાજરી હતી.
સરદારનગર સંઘને ઠાણાંગ સૂત્ર ભાગ-2 અર્પણ કરાયેલ. વ્યાખ્યાન મંગળવારથી સવારે 9 થી 10 કલાકે યોજાશે.