બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતે ‘અગ્નિપથ’ યોજનાની તરફેણ કરતા કહ્યું કે યુવાઓને આ યોજના પસંદ આવી નથી અને સતત હિંસા કરી રહ્યા છે. પરંતુ ઈઝરાયેલ જેવા અનેક દેશોમાં લશ્કરી તાલીમ ફરજીયાત છે અને આ યોજનાનો ઉદેશ ફકત રોજગારી આપવાનો કે યુવાનો પૈસા કમાય તે માટે નથી. દેશ માટે યુવાનોને તૈયાર કરવા આ યોજના લાવવામાં આવી છે.