(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5 : મોરબી જલારામ મંદિર ખાતે ઝુલતાપુલ દુર્ઘટનાના દીવંગતના સ્મરણાર્થે યોજાયેલ નેત્રમણી કેમ્પનો 430 દર્દીઓએ લાભ લીધો હતો.રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભા.જ.પ. પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પત્રકાર દીલીપભાઈ બરાસરા, પ્રવિણભાઈ વ્યાસ તથા સુરેશભાઈ ગોસ્વામીની ઉપસ્થિતીમાં નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો.
તે ઉપરાંત 188 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામા આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.
આ કેમ્પ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના દીવંગતોના સ્મરણાર્થે યોજાયો હતો. અત્યાર સુધીમાં યોજાયેલા 15 કેમ્પનો 4453 લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ 1992 લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલ છે. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ પાંવ, ફીરોઝભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.