મોરબી જીલ્લામાં કાર્યરત સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા દેશના શહિદ જવાનોના પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે તેવામાં પંજાબના જલંધરમાં ગત તા.7-12-22 ના રોજ શહીદ થયેલ ગાંધીનગર જીલ્લાના વાસણા ચૌધરી ગામના શહીદ જવાન દિનેશ પટેલના માતા-પિતાને સેવા એ જ સંપતિ ફાઉન્ડેશનના અજય લોરીયા મળવા માટે ગયા હતા અને ત્યાં શહીદ જવાનના પરિવારને મળીને એક લાખનો ચેક આપવામાં આવ્યો હતો. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)