નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં અરાજકતા ફેલાવીને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવાનો છે. ભાજપ સરકાર ખેડૂતની આવક બમણી કરી શકતી નથી, યુવાનોને રોજગારી આપી શકતી નથી, પરંતુ તેના મંત્રીઓ અને નેતાઓ ખેડૂતોને રસ્તા વચ્ચે કચડી શકે છે. ભાજપના નેતાઓ સત્તાના ઘમંડમાં બેલગામ બની રહ્યા છે.
અખિલેશે મંગળવારે કહ્યું કે લખીમપુરની ઘટના બધાને યાદ છે. હવે મેરઠમાં બીજેપીના એક નેતાએ એક યુવકને થાર વાહનથી કચડી નાખ્યો. આવી જ રીતે મેરઠમાં જ સ્કૂટી પર સવાર બે મિત્રોને ભાજપના એક નેતાએ કચડી નાખ્યા હતા. પાવર પ્રોટેક્ટેડ બુલીઝનો ઉત્સાહ વધી રહ્યો છે.
કન્નૌજમાં, સરકારી જમીનોને અતિક્રમણમાંથી મુક્ત કરાવવા ગયેલી મહેસૂલ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પહેલા કન્નૌજમાં વહીવટીતંત્ર અને ભાજપના નેતાઓના કારણે શાક્ય સમુદાયના એક વ્યક્તિની હત્યા થઈ હતી.
ફિલ્મ ‘પઠાણ’ સુપરહિટ થવા પર અખિલેશનું ટિવટ
‘पठान’ का सुपर हिट होना देश और दुनिया में सकारात्मक सोच की जीत है और भाजपाई नकारात्मक राजनीति को जनता का करारा जवाब।
— Akhilesh Yadav (@yadavakhilesh) January 31, 2023
સપા પ્રમુખે શાહરૂખ ખાનની ફિલ્મ ’પઠાણ’ દ્વારા ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે ટવીટ કર્યું કે ’પઠાણ’ સુપરહિટ થવી એ દેશ અને દુનિયામાં સકારાત્મક વિચારસરણીની જીત છે અને ભાજપની નકારાત્મક રાજનીતિને લોકોનો યોગ્ય જવાબ છે.