ધનિકોની મોંઘી વીમા પોલીસી પરનો કરલાભ બંધ થશે

02 February 2023 04:44 PM
Business
  • ધનિકોની મોંઘી વીમા પોલીસી પરનો કરલાભ બંધ થશે

રૂા.5 લાખથી વધુ વાર્ષિક પ્રીમીયમવાળી પોલીસીની પાકતી તારીખે મળતી રકમ પર આવકવેરો લાગશે: તા.1 એપ્રિલથી અમલ

કેન્દ્રીય બજેટમાં અત્યાર સુધી ધનિકોને મળતા લાભમાં ફકત એક લાભ છીનવાયો છે. 1 એપ્રિલ 2023 બાદ જે જીવન વીમા પોલીસી ઈશ્યુ કરવામાં આવશે તો તેમાં વાર્ષિક પ્રીમીયમ રૂા.5 લાખથી વધુ હશે તો આ પોલીસીની મેચ્યોરીટી એટલે કે પાકતી તારીખે જે રકમ મળશે તેના પર ટેકસ લાગશે. કોઈ વ્યક્તિ પાસે એકથી વધુ જીવન વીમા પોલીસી હશે અને તે જો 1 એપ્રિલ 2023 બાદ તેમાં કુલ પ્રીમીયમની રકમ રૂા.5 લાખથી વધુ થશે તો તેમાં પણ આ ટેકસની જોગવાઈ લાગુ પડશે. જો કે યુનિટ લીંક ઈુસ્યુરન્સ પોલીસી પર આ જોગવાઈ લાગુ થશે નહી. સરકાર ઈન્વેસ્ટમેન્ટ અને ઈુસ્યોરન્સ વચ્ચે તફાવત કરવા માંગે છે. ધનિકો ઉંચા પ્રીમીયમની વીમા પોલીસી લઈને તેની તગડી રકમ ટેકસમાંથી બાદ મેળવે છે તે છટકબારી બંધ થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement