ગુજરાતમાં રાજય સરકાર દ્વારા ધો.1માં પ્રવેશ માટે બાળક છ વર્ષનો થયો હોય તે નિયમમાં કોઈ ફેરફાર નહી કરે. આજે કેબીનેટના પ્રવકતા મંત્રી ઋષીકેશ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી આ નિયમ અમલી બનશે અને છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે તેના માટે રાજય સરકાર બાળવાટીકાની વ્યવસ્થા કરે છે અને તેના કારણે આ બાળકો શાળા જેવું જ શિક્ષણ મેળવી શકશે.