રિંગરોડ-2નું કામ પૂર્ણ થઈ જતાં હવે ગોંડલ ચોકડી-રાજકોટમાં સર્જાતાં ટ્રાફિકજામથી મળશે મુક્તિ

04 February 2023 03:46 PM
Rajkot
  • રિંગરોડ-2નું કામ પૂર્ણ થઈ જતાં હવે ગોંડલ ચોકડી-રાજકોટમાં સર્જાતાં ટ્રાફિકજામથી મળશે મુક્તિ
  • રિંગરોડ-2નું કામ પૂર્ણ થઈ જતાં હવે ગોંડલ ચોકડી-રાજકોટમાં સર્જાતાં ટ્રાફિકજામથી મળશે મુક્તિ
  • રિંગરોડ-2નું કામ પૂર્ણ થઈ જતાં હવે ગોંડલ ચોકડી-રાજકોટમાં સર્જાતાં ટ્રાફિકજામથી મળશે મુક્તિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં આજે અનેક વિકાસકામોનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું જેમાં શહેરની ફરતે આકાર પામી રહેલા રિંગરોડ-2, ગોંડલ હાઈ-વેથી અમદાવાદ હાઈ-વે સુધીના રસ્તા તેમજ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

એકંદરે હવે ગોંડલ હાઈ-વે પરથી ભાવનગર તેમજ અમદાવાદ જવા માટે ચાલકોએ ટ્રાફિકજામમાં ફસાવવું પડશે નહીં. રિંગરોડ-2ના ફેઝ-3માં ગોંડલ હાઈ-વેથી ભાવનગર હાઈ-વે સુધીના 10.60 કિ.મી. રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત રિંગરોડ-2નું ફેઝ-4માં ભાવનગર હાઈ-વેથી અમદાવાદ હાઈ-વે સુધીના 10.30 કિ.મી. રસ્તાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. એકંદરે આ રસ્તાથી ગોંડલ રોડ (નેશનલ હાઈ-વે)થી અમદાવાદ નેશનલ હાઈ-વેને જોડતો એક બાયપાસ રસ્તો મળી રહેશે અને ગોંડલ ચોકડી પર તેમજ શહેરમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં મોટાપાયે ઘટાડો થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement