જંત્રીદરમાં ‘જોરનો ઝટકો’! રાહત મળવાનો બિલ્ડરોને ભરોસો

06 February 2023 03:57 PM
Gujarat
  • જંત્રીદરમાં ‘જોરનો ઝટકો’! રાહત મળવાનો બિલ્ડરોને ભરોસો
  • જંત્રીદરમાં ‘જોરનો ઝટકો’! રાહત મળવાનો બિલ્ડરોને ભરોસો

► મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બિલ્ડર સંગઠનની એક કલાક લાંબી બેઠક: અમલ ત્રણ માસ મોકુફ રાખવાથી માંડીને અર્ધોડઝન મુદ્દે રજુઆત

► નાના-સામાન્ય કે કોઈ વર્ગને હેરાનગતિ નહિં થવા દેવા મુખ્યમંત્રીનું આશ્ર્વાસન: સરકારમાં મેરેથોન બેઠકો: સાંજ સુધીમાં રાહતનો નિર્ણય

રાજકોટ તા.6 : રાજય સરકારે જંત્રીદરમાં એકાએક 100 ટકાનો વધારો જાહેર કરીને સમગ્ર રીયલ એસ્ટેટ ક્ષેત્રને તિવ્ર ઝટકો આપ્યા બાદ હવે આંશિક રાહત આપવામાં આવે તેવી શકયતા છે.રાજયભરનાં બિલ્ડરો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને વિવિધ મુદાઓની રજુઆત કરી હતી તેને પગલે રાજય સરકારમાં મેરેથોન મીટીંગો શરૂ થઈ છે અને સાંજ સુધીમાં કોઈક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવા સંકેત છે. જંત્રીદરનાં ઝટકાથી સ્તબ્ધ બનેલા બિલ્ડરો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા.

એક કલાકની લાંબી બેઠકમાં આ કદમથી પડનારી અસરો વિશે તેઓને અવગત કરાવવામાં આવ્યા હતા અને તાત્કાલીક અસરથી રાહત આપવાની માંગણી કરવામાં આવી હતી. રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ અને ક્રેડાઈ ગુજરાતનાં પૂર્વ ચેરમેન પરેશ ગજેરાએ બેઠક બાદ વાતચીતમાં જણાવ્યું હતું કે બિલ્ડર સંગઠને સરકાર સમક્ષ તમામે તમામ મુદ્દા અને તેની અસરોની વિસ્તૃત રજુઆત કરી છે અને તે સામે મુખ્યમંત્રી દ્વારા પણ પોઝીટીવ પ્રત્યાઘાત આપવામાં આવ્યો છે. સામાન્ય વર્ગ કે અન્ય કોઈ વર્ગ બિનજરૂરી રીતે મુશ્કેલીમાં સપડાય તેવું કદમ ઉઠાવવાનો સરકારનો ઈરાદો નથી અને સમગ્ર મામલે સરકારનું મન ખુલ્લૂ હોવાનો તેઓએ સુર દર્શાવ્યો હતો

જેના આધારે સરકાર આંશીક રાહત આપે તેમ માનવામાં આવી રહ્યું છે. સુત્રોના કહેવા પ્રમાણે બિલ્ડરો સાથેની મીટીંગ પૂર્ણ થયાની સાથે જ રાજય સરકાર દ્વારા શહેરી વિકાસ, મહેસુલ, નાણાં સહિતના સંબંધીત વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી અને જંત્રીદરની અસર અને તેનાં નાણાંકીય પરિણામો વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી એમ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિવિધ પાસાઓનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યા બાદ રાજય સરકાર રાહત આપતો કોઈ નિર્ણય લઈ શકે છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં સુત્રોએ કહ્યું કે રાજય સરકારને રાહત આપવી હોય તો મોટાભાગે આજે જ જાહેર કરી શકે છે.અન્યથા નવા જંત્રીદર મુજબ દસ્તાવેજ નોંધણી વગેરેની પ્રક્રિયા શરૂ થઈ જશે.

બિલ્ડરોએ શું-શું રજુઆત કરી!
* નવા જંત્રીદરનો અમલ 1લી મે 2023 થી કરવામાં આવે અર્થાત ત્રણ મહિના મુલત્વી રાખવામાં આવે.
* પેઈડ એફએસઆઈમાં જંત્રીનાં 40 ટકાના બદલે 20 ટકાની જોગવાઈ કરવામાં આવે.
* નવી શરતમાંથી જુની શરતમાં જમીન ફેરવવાના પ્રિમીયમ દર જંત્રીનાં 40 ટકાના બદલે 20 ટકા કરવામાં આવે.
* જંત્રીદર નકકી કરવા માટે છેલ્લા ત્રણ વર્ષનાં વેંચાણ વ્યવહારોનો સહારો લઈને તેની સરેરાશ મુજબ જંત્રીદર નકકી કરવામાં આવે.100 ટકાનો વર્તમાન વધારો રદ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિર્ણય થાય.
* રહેણાંક ફલેટ, આવાસ તથા દુકાનોની જંત્રીમાં 20 ટકાનોજ વધારો કરવામાં આવે.
* એફોર્ડેબલ હાઉસીંગમાં યુનિટનું પ્રથમ વેચાણ કરવામાં આવે તેવા કિસ્સામાં 1 ટકા સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરવામાં આવે.


Related News

Advertisement
Advertisement
Advertisement