ભારતની દિલેરી: પાકિસ્તાનનાં ‘દોસ્ત’ તૂર્કીને ભૂકંપ રાહતમાં મદદ કરશે

06 February 2023 05:36 PM
India World
  • ભારતની દિલેરી: પાકિસ્તાનનાં ‘દોસ્ત’ તૂર્કીને ભૂકંપ રાહતમાં મદદ કરશે

તૂર્કી-સીરીયામાં કુલ મોત 1000 થી વધુ

આજે વિનાશક ભૂકંપમાં હોમાયેલા તુર્કીની મદદે વિશ્વમાં સૌ પ્રથમ ભારત પહોંચી જશે.તૂર્કીમાં પૂર્વીય ક્ષેત્રમાં આવેલા ભૂકંપમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કુદરતી આફત પર શોક દર્શાવી તૂર્કીને બચાવ રાહત માટે એનડીઆરએફની ટીમો ઉપરાંત રાહત સામગ્રી મોકલવાની જાહેરાત કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, તૂર્કી કાશ્મીર સહીતના મુદ્દે સતત પાકિસ્તાનને સાથ આપતુ આવ્યું છે અને અનેક આંતર રાષ્ટ્રીય પેસ પર ભારત વિરૂદ્ધ ઝેર ઓકયુ છે. તેમ છતા મોદી સરકારે આ માનવીય કપરી સ્થિતિમાં તુર્કીની મદદે જવા નિર્ણય લીધો છે.તુર્કીમાં 600 થી વધુ અને સીરીયામાં 300 થી વધુ મૃત્યુ નોંધાયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement