આવતીકાલે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિનું પરેલ (મુંબઇ) ખાતે પદાર્પણ: અનુષ્ઠાન

18 March 2023 11:33 AM
Rajkot Dharmik
  • આવતીકાલે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિનું પરેલ (મુંબઇ) ખાતે પદાર્પણ: અનુષ્ઠાન

રાજકોટ, તા.18 : રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ મુંબઈના અનેક ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં પરેલની ધરા પર મંગલ પદાર્પણ કરી રહ્યા છે ત્યારે પરેલના ભાવિકોના હૃદયમાં અનેરા આનંદ-ઉત્સાહ વર્તાઈ રહ્યાં છે. કાલ તા.19ના રવિવારના દિવસે પરમ ગુરુદેવના બ્રહ્મનાદે લયબદ્ધ સ્વરે પરમાત્મા પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ ભક્તિ સ્તવના સ્વરૂપ મહાપ્રભાવક શ્રી ઉવસ્સગ્ગહરં સ્તોત્રની દિવ્ય જપ સાધનાનું પાવનકારી આયોજન કરવામાં આવ્યું છે.

આજના સમયમાં ફાસ્ટ ફૂડ, ફાસ્ટ મની સાથે ઇન્સ્ટન્ટ સફળતા પામવા માટે યુવાપેઢીના હૃદયમાં ઉઠતાં અનેક પ્રકારના પ્રશ્નો અને જિજ્ઞાસાનું સમાધાન આપતાં અનોખા ટોક શોનું આયોજન પણ આ અવસરે કરવામાં આવ્યું છે. "સફળતા પાછળનું સાઈન્સ” અંતર્ગત પરમ ગુરુદેવ સાથેના આ ટોક શોમાં પરમ ગુરુદેવની વિઝનરી વિચારધારા અને લોજીક સાથેનું માર્ગદર્શન આપવામાં આવશે.

પરેલની ધરા પર પ્રથમવાર પધારી રહેલા પરમ ગુરુદેવના સાંનિધ્યે સમગ્ર કાર્યક્રમ સવારના 09:30 કલાકથી પરેલ સ્થિત રાજકમલ સ્ટુડિયો ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરનો લાભ લેવા માટે પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement