રાજકોટ,તા.18 : રાજકોટમાં કોરોના ચીને સીઝનલ રોગચાળાએ ફરી માથુ ઉંચકયું છે. ત્યારે લોકોને 24 કલાક સારવાર માટેની વ્યવસ્થા કરવા અને હેલ્પલાઈન શરૂ કરવા વિપક્ષીનેતા ભાનુબેન પ્રવિણભાઈ સોરાણીએ કમિશ્નરને રજુઆત કરી છે.કે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે
ત્યારે કોરોના - એચથીએનટુ - સીઝનલ રોગચાળો તેમજ દર્દીઓની સંખ્યા વ્યાપક પ્રમાણમાં વધતા કેન્દ્ર સરકાર દ્વારા ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક અને વેક્સીનેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કેન્દ્ર સરકારના આરોગ્ય સચિવે પત્ર આપ્યો હોય જેમાં ગુજરાત રાજ્ય શામેલ હોય એ પરથી રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની ગાઢ નિંદ્રામાં હોય ત્યારે સફાળું જગાડવા અને સઘન તકેદારીના પગલા લેવા અમો જણાવીએ છીએ. તમામ આરોગ્ય કેન્દ્ર તથા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તુરંત કાર્યાન્વિત કરી ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટ, ટ્રેકિંગ
અને વેક્સીનેશન વધારવા સહિતની તમામ આરોગ્યલક્ષી સેવાઓ રાજકોટની જનતાને 24ડ્ઢ7 મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને હેલ્પલાઇન નંબર જાહેર કરવા જનતાના આરોગ્યના હિતમાં માંગ કરી છે. રાજકોટમાં જેટલી લેબોરેટરીઓ આવેલ છે એ તમામમાં ટેસ્ટીંગ માટેના ચાર્જ સમાન ધોરણે વસુલાય તેમજ રોજબરોજના આંકડાઓ મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવે તેમજ શહેરના નગરજનોને સત્વરે સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે પ્રકારે વ્યવસ્થા કરવા અંતમાં જણાવ્યું છે.