ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2022/23માં લેવાયેલ શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ કરી છે ત્યારે મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ધો. 6 ના વર્ગશિક્ષક અને ભાષાના શિક્ષક દયાળજીભાઈ બાવરવા ગણિત-વિજ્ઞાનના શિક્ષક ચાંદનીબેન સાંણજા અને નિલમબેન ચૌહાણ, ભાષાના શિક્ષક જયેશભાઈ અગ્રાવતે વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણ સાથે ઉતીર્ણ થવા બદલ અભિનંદન આપ્યા છે આ શાળામાંથી પરમાર વંદના હંસરાજભાઈ, પરમાર હેન્સી દિલીપભાઈ, ડાભી પ્રવીણા નરભેરમભાઈ, ચાવડા સંજના કમલેશભાઈ, ચાવડા નિશા રમેશભાઈ, પરમાર અંજના મનહરભાઈ, પરમાર નિધિ કિશોરભાઈ, પરમાર ધર્મિષ્ઠા ગોવિંદભાઈ, પરમાર અર્પિતા ચીમનભાઈ પાસ થયેલ છે જેથી શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલા દ્વારા તમામને શુભકામનાઓ આપવામાં આવી છે.(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)