પૂ.સદગુરૂદેવ રણછોડદાસ બાપુ આશ્રમ (સદગુરૂ સદન ટ્રસ્ટ) રાજકોટ દ્વારા ઈન્દોર (મધ્યપ્રદેશ) અને દેવળીયા ગોરખપુર (ઉતરપ્રદેશ) ખાતે બે થી ત્રણ માસ નેત્ર નિદાનની મહા શિબીરનું આયોજન કર્યું હતુંં.જેમાં ગોરખપુર ઉતર પ્રદેશમાં 52028 દર્દીઓ અને ઈન્દોર મધ્યપ્રદેશમાં 12341 દર્દીઓનાં આંખના મોતીયાનાં નિ:શુલ્ક સફળ ઓપરેશન સાથે તમામ દર્દીઓને વિનામુલ્યે રહેવા-જમવા તથા ટીપા,ચશ્માનું વિતરણ કરી દર્દીઓને દિવ્ય ગુરૂદ્રષ્ટિ આપી હતી. ગુજરાત સાથે ઈન્દોર, (મધ્યપ્રદેશ) ગોરખપુર (યુ.પી) માં ટ્રસ્ટની સેવાની સુવાસ પ્રસરી છે.