હવે છત્તીસગઢમાં લાગુ કરાયો સુરક્ષા કાયદો: મિડીયા કર્મીને ધમકી કે હુમલા બદલ થશે કડક કાર્યવાહી

24 March 2023 05:43 PM
Rajkot
  • હવે છત્તીસગઢમાં લાગુ કરાયો સુરક્ષા કાયદો: મિડીયા કર્મીને ધમકી કે હુમલા બદલ થશે કડક કાર્યવાહી

♦ મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢમાં મિડીયા સુરક્ષા બિલ પાસ

♦ ABPSS દ્વારા સતત પત્રકાર સુરક્ષા કાનૂન’ની માંગ બાદ છત્તીસગઢ સરકારની મંજૂરી

રાજકોટ,તા.24
દેશભરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂનની માંગને લઈને દેશભર માં અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે છત્તીસગઢની ભૂપેશ કેબિનેટે બહેલ પત્રકાર સુરક્ષા કાયદાને મંજૂરી આપી છે. પત્રકાર સુરક્ષા કાયદાને લઈને વિધાનસભામાં બિલ લાવવામાં આવ્યું હતું અને આખરે તેને પાસ કરવામાં આવ્યું છે.

પત્રકાર સુરક્ષા કાયદો લાગુ થયા બાદ પત્રકારો પર FIR કરતા પહેલા ઘણા નિયમોનું પાલન કરવું પડશે. પત્રકારોની સતામણી, ધાકધમકી,હિંસા કે ખોટી રીતે કેસ ચલાવવાથી રોકવામાં મદદ મળશે, પત્રકારો સામેના બનાવટી કેસો સહિત અન્ય કેસો પર અંકુશ આવશે.ઘણી વખત એવું જોવા મળે છે કે, પત્રકારોના સમાચારથી નારાજ પક્ષ તેમની સામેના કોઈને કોઈ રીતે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં જાય છે. પત્રકારોને ધમકાવવામાં આવે છે,તેમને હેરાન કરવામાં આવે છે.જેના કારણે પત્રકારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

બદલાની ભાવનાને કારણે ઘણી વખત પત્રકારો સામે કેસ દાખલ કરવામાં આવે છે.જેના કારણે દેશ સહિત છત્તિસગઢમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવાની માંગ જોરશોરથી કરવામાં આવી રહી છે.કોંગ્રેસે પણ પત્રકારોની આ માંગને ટેકો આપ્યો હતો.તેમના જાહેર ઢંઢેરામાં તેમણે પત્રકાર સુરક્ષાના અમલની વાત કરી હતી.હવે ભૂપેશ કેબિનેટની મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો પત્રકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ માંગ માટે ABPSS દ્વારા મોટી લડત ચાલુ કરવામાં આવી હતી. અનેકો વાર જેલવાસ પણ ભોગવવા નો વારો આવ્યો હતો. ત્યારબાદ અંતે આજે સફળતા મેળવી છે.

સરકાર પત્રકારોની નોંધણી માટે પણ ઓથોરિટી બનાવશે.કાયદો લાગુ થયાના 30 દિવસની અંદર સરકાર પત્રકારોની નોંધણી માટે એક ઓથોરિટીની નિમણૂંક કરશે.ઓથોરિટીના સચિવને જનસંપર્ક વિભાગના અધિક નિયામક અને ઉપરના દરજ્જાની વ્યક્તિને બનાવવામાં આવશે.તેમાં બે મીડિયા પર્સન પણ હશે જેમની વરિષ્ઠતા ઓછામાં ઓછી 10 વર્ષની હશે.આમાંથી એક મહિલા મીડિયા પર્સન પણ છત્તીસગઢમાં કામ કરશે.ઓથોરિટીમાં સામેલ મીડિયા પર્સનનો કાર્યકાળ માત્ર બે વર્ષનો રહેશે. કોઈપણ પત્રકાર બે વર્ષથી વધુ સમય સુધી ઓથોરિટીનો સભ્ય રહી શકશે નહીં.

છત્તીસગઢ માં પાસ થયેલ પત્રકાર સુરક્ષા કાયદા ની માહિતી આપવા સાંજસમાચાર ની શુભેચ્છ મૂલાંકતે આવેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના હોદ્દેદારો જીગ્નેશ કલવડીયા ,મનોજ ગઢવી, સંજય ખીરસરિયા, દિલિપ સિંહ વાઘેલા, દિનેશ જાવયા ,હિતેષ રાઠોડ, રેખા સગારકા,જાગૃતિ પરમાર, જગદીશ તેરૈયા , હર્ષા શેઠ, વિશાલ ગોહિલ, પરાગ ચૌહાણ એ સાંજસમાચાર ની મુલાકાત લીધી હતી.

પત્રકાર સુરક્ષા કાયદા હેઠળ લાભો મળશે
જેના છેલ્લા 3 મહિનામાં ઓછામાં ઓછા 6 લેખ સમૂહ માધ્યમોમાં પ્રકાશિત થયા છે એવી વ્યક્તિ કે જેને છેલ્લા 6 મહિનામાં કોઈપણ મીડિયા સંસ્થા તરફથી સમાચાર સંકલન માટે ઓછામાં ઓછા 3 વખત ચૂકવણી કરવામાં આવી હોય એવી વ્યક્તિ કે જેના ફોટા છેલ્લા 3 મહિનામાં ઓછામાં ઓછા 3 વખત પ્રકાશિત થયા છે.કોલમિસ્ટ અથવા ફ્રીલાન્સ પત્રકાર, જેમનું કામ છેલ્લા 6 મહિનામાં 6 વખત પ્રકાશિત/ પ્રસારિત થયું છે.આવી વ્યક્તિ જેના મંતવ્યો વિચાર છેલ્લા ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 6 વખત માસ કોમ્યુનિકેશનમાં નોંધાયા છે. એક વ્યક્તિ જેની પાસે ઈંઉ કાર્ડ અથવા મીડિયા સંસ્થાના સભ્ય હોવાનો પત્ર છે.


Related News

Advertisement
Advertisement