નવી દિલ્હી:
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા આગામી સમયમાં ફરી એક વખત ધિરાણ વ્યાજદર વધારે તેવો સંભવ છે તે વચ્ચે કેન્દ્ર સરકારે નાની બચત વ્યાજદરમાં 70 બેઝીક પોઈન્ટ જેવો મોટો ભાવવધારો કર્યો છે. આ નવા દર 1 એપ્રિલથી એટલે કે આજથી જૂન 30 સુધી અમલી બનશે.
જો કે સૌથી વધુ લોકપ્રિય પબ્લીક પ્રોવિડન્ટ ફંડના વ્યાજદર યથાવત રખાયા છે અને પોસ્ટઓફિસ બચત ખાતાના વ્યાજદરમાં પણ કોઈ ફેરફાર થયા નથી. બેન્કોના થાપણ વ્યાજદર વધતા હવે પોષ્ટ ઓફિસ બચત દરને આકર્ષક બનાવી રાખવા આ વ્યાજદર વધારાયા છે.