ફુલછાબ ચોકમાં મુસ્લિમ આગેવાનો દ્વારા રામનવમી શોભાયાત્રાનું સ્વાગત કરાયું

01 April 2023 04:36 PM
Rajkot
  • ફુલછાબ ચોકમાં મુસ્લિમ આગેવાનો દ્વારા રામનવમી શોભાયાત્રાનું સ્વાગત કરાયું

રાજકોટ,તા.1
રામનવમી વિશાળા શોભાયાત્રા શહેરમાં રાજમાર્ગો પર નીકળેલ હતી. આ શોભાયાત્રા ફુલછાબ ચોક પહોંચતા મુસ્લીમ આગેવાનો હબીબભાઈ ગનીબાપુ કટારીયા, રજાકભાઈ ચાનીયા, સૈયદ સકીલબાપુ, ઈમરાનભાઈ શેખ, ઈકબાલભાઈ મકરાણી, લોઈડભાઈ દલવાણી, અસાબભાઈ ચૌહાણ, આબીદભાઈ શેખ, ગફારભાઈ ગનીબાપુ કટારીયા, મુન્નાભાઈ મકરાણી, હનીફભાઈ ગનીબાપુ કટારીયા, અદનાંદભાઈ વોરા, ઈબ્રાહીમભાઈ મેમણ વિગેરેએ રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરેલ હતું. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદી જણાવેલ છે.


Related News

Advertisement
Advertisement