♦ તૈયારીઓને અપાતો આખરી ઓપ ભવ્ય ધર્મયાત્રા-સભાનું આયોજન
♦ ધર્મયાત્રામાં 24 ફલોટસ, 108 કાર, 251 ટુ-વ્હીલર, સાયકલ, રાસ મંડળી, મ્યુઝીકલ બેન્ડ જમાવટ કરશે
♦ આકર્ષક ફલોટસ માટે રૂ.11 હજારની અનુમોદના વિરાણી પૌષધશાળામાં ધર્મસભાનું આયોજન
રાજકોટ,તા.1
જૈનમ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.4-4ને મંગળવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાશેે. સવારે 8 કલાકે રથયાત્રા, સવારે 8 કલાકે મણીયાર દેરાસરજીથી પ્રારંભ થશે અને સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લિમડા ચોક, જવાહર રોડ, ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભુપેન્દ્ર રોડ, મુળવંતભાઈ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોક, શ્રી વિરાણી પૌષધશાળા ખાતે સમાપન બાદ ધર્મસભામાં પરિવર્તીત થશે.
ધર્મયાત્રામાં રાજકોટમાં બિરાજમાન પૂજ્નીય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 24 આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે. આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક-સાઈકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, નાસિક ઢોલની સાથે સાથે મ્યુઝીકલ બેન્ડ સુરાવલી રેલાવતા તેમજ રાષ્ટ્રભાવના ઉજાગર કરતા જૈન શાસનને વરેલા 108 બાળકો સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. ધર્મસભા બાદ પ્રભાવના માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ વોરા તથા શ્રીમતિ માલાબેન રાજેશભાઈ પારેખ દ્વારા લાભ લીધેલ છે. માતુશ્રી ઈન્દીરાબેન અનંતરાય કામદાર પરિવારે અનુકંપા રથનાં લાભાર્થિ તરીકે લાભ લીધેલ છે.
ફલોટસ બનાવનાર તમામને રૂા.11000ની અનુમોદના આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂા. 5000, બીજા નંબરને રૂા. 4000, ત્રિજા નંબરને રૂા. 3000, ચોથા નંબરને રૂા. 2000, પાંચમા નંબરને રૂા. 1000નો રોકડ પૂરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે.
ધર્મયાત્રાનાં રૂટ ઉપર વિવિધ સ્થળો ઉપર આકર્ષક અને નયનરમ્ય રંગોળી પણ કરવામાં આવનાર છે, ધર્મયાત્રાનાં રૂટ ઉપર શાસ્ત્રી મેદાન સામે ધ ઈમ્પીરીયા ખાતે જૈન સમાજનાં 250 થી પણ વધુ બાળકો વેશભુષા સાથે જોવા મળશે. આ વેશભુષામાં જોડાનાર દરેક બાળકને દાતાઓ તરફથી આકર્ષક ગીફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉપરાંત વેશભુષા સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને ધર્મસભામાં ઈનામો આપી સન્માનીત કરવામાં આવશે.
ધર્મસભાનાં રૂટ ઉપર જૈન જૈનેતરો માટે ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, આ રંગોળી સ્પર્ધાનાં પ્રથમ પાંચ વિજેતાઓને અનુક્રમે 1500, 1100, 750, 500 અને 250 રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાનાં રૂટ ઉપર નવકારનાં નવ પદનાં નવ આકર્ષક સુશોભન સાથેના સ્વાગત સ્ટેજ ઉભા કરવામાં આવેલ છે જેમાં સૌ પ્રથમ સાંજસમાચાર કોર્પોરેટ હાઉસ ખાતે સાંજ સમાચાર પરીવાર, સરકીટ હાઉસ ખાતે રોટરી કલબ ઓફ રાજકોટ, ફુલછાબ ચોક ખાતે ફુલછાબ પ્રેસ પરિવાર, ઈગલ ટ્રાવેલ્સ સામે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, મોટી ટાંકી ચોક ખાતે સૌરાષ્ટ્ર કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન અને કેમીસ્ટ એસોસીએશન રાજકોટ તેમજ શાસ્ત્રી મેદાન સામે તોરલ બિલ્ડીંગ પાસે ઈકોનો બ્રોકીંગ પરિવાર, ત્રિકોણ બાગ બાપુના બાવલા પાસે એક સાધર્મિક પરિવાર અને મુળવંતભાઈ દોમડીયા ચોક - બાલાજી મંદીર સામે લેવલ 6 પરિવાર દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરાશે.
ધર્મયાત્રાના વિશેષ આકર્ષણમાં પ્રહલાદ પ્લોટ યુવક મંડળ અને શ્રમજીવી દેરાસરનું ઉપાસના યુવક મંડળનાં 50 થી વધુ ભાઈઓ પુજાની જોડ પહેરીને ભગવાનશ્રી મહાવીર સ્વામીનો રથ ચલાવશે. મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનાં ભાગરૂપે રાજકોટ શહેરનાં શ્રી મહાવીર સ્વામી (એસ્ટ્રોન ચોક) માં આકર્ષક રંગબેરંગી લાઈટીંગ અને જૈન શાસનનાં ધ્વજથી શણગારીને એક આકર્ષણ ઉભુ કરવામાં આવેલ છે.
ધર્મયાત્રાનાં રૂટ ઉપર સર્કિટ હાઉસ પાસે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર દ્વારા, ફુલછાબ પ્રેસ દ્વારા ફુલછાબ ચોકમાં, વર્ધમાન યુવક મંડળ દ્વારા મોટી ટાંકી ચોકમાં, સદર સ્થા. જૈન સંઘ દ્વારા એવરગ્રાન્ડ હોટલ પાસે, પંચનાથ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લીમડા ચોકમાં, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા દિગંબર મંદિર પાસે અને સુખડીયા પરિવાર દ્વારા ત્રિકોણ બાગ ખાતે, જેએસજી એલીટ દ્વાર બાપુનાં બાવલા પાસે, સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ મંડળ દ્વારા સ્વ.મુળવંતભાઈ દોમડીયા ચોક ખાતે પાણી તેમજ સરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.
વિરાણી પૌષધશાળા ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ-સાઘ્વજીઓની પાવનનિશ્રામાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાઘ્વીઓ આશિર્વચન ફરમાવશે. મહાવીર જ્યંતિનાં દિવસે રાજકોટનાં જે દેરાસરોમાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હોય ત્યાં આંગીનો લાભ જૈનમ ગ્રુપ દ્વારા લેવામાં આવેલ છે.
રાજકોટ શહેરમાં ભગવાન મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક) ઉપરાંત ભાગ્યવંતાબાઈ મહાસતીજી ચોક (સવેશ્વર ચોક-યાજ્ઞિક રોડ), ડુંગરસિંહજી મહારાજ સાહેબ ચોક (પેલેસ રોડ), તપસ્વી રતિલાલજી મહારાજ સાહેબ (બીગબજાર ચોક), ઈન્દુબાઈ મહાસતીજી ચોક (કોટેચા ચોક), પૂ.જશરાજજી મહારાજ સાહેબ ચોક (કરણપરા ચોક), પૂ.જનકમુનિ મહારાજ ચોક (ક્રિસ્ટલ મોલ ચોક) અને મુળવંતભાઈ દોમડીયા (રાજેશ્રી ચોક) ખાતે વિશાળ બેનર સાથે સમસ્ત જૈન સમાજને જૈન શ્રેષ્ઠીઓ દ્વારા અપીલ કરતા બેનરો લગાડવામાં આવેલ છે.
વિરાણી પૌષધશાળા ખાતે યોજાનાર ધર્મસભા બાદ ધર્મયાત્રા અને ધર્મસભામાં જોડાનાર શ્રાવક-શ્રાવિકાઓ માટે સ્વામીનારાયણ મંદિર, ભુપેન્દ્ર રોડ, રાજકોટ ખાતે ભવ્ય ગૌતમ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ગૌતમ પ્રસાદનાં પાસ સંઘપુજન કરી ધર્મયાત્રામાં આપવામાં આવશે.
આ ભવ્યાતિ ભવ્ય આયોજનમાં રાજકોટનાં શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘ(માંડવી ચોક દેરાસર), શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ભકિતનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી નાલંદા જૈન સંઘ, શ્રી મનહરપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી નવકાર જૈન મંડળ, શ્રી ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી અજરામર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શેઠ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી ઉગ્વસગ્ગહરં સાધના સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી જંકશનપ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી શ્રમજીવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ, શ્રી રાજગીરી ઉપાશ્રય(પંચાયતનગર), શ્રી પંચવટી શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી જાગનાથ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ, શ્રી જાગનાથ જિનાલય, શ્રી કાલાવડ રોડ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (પારસધામ), શ્રી શાંતિનાથ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી મણીયાર જૈન દેરાસર શ્રાવક-શ્રાવિકા, શ્રી સિઘ્ધચક્ર શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ (કાચ જિનાલય), શ્રી રૈયા રોડ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી વર્ધમાનનગર જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્લોટ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી આનંદનગર શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી યુનિવર્સિટી રોડ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ, શ્રી ગાંધીગ્રામ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ, શ્રી વિમલનાથ દેરાસર, શ્રી સાધુવાસવાણી રોડ જૈન તપગચ્છ સંઘ, શ્રી કૃષ્ણનગર જૈન તપગચ્છ સંઘ, શ્રી રણછોડનગર જૈન તપગચ્છ સંઘ, શ્રી નંદનવન દેરાસર-યુનિ.રોડ, શ્રી દિગંબર જૈન સ્વાઘ્યાય મંદિર ટ્રસ્ટ, શ્રી પંચનાથ પ્લોટ અને તીરૂપતિનગર (કાનજી સ્વામી સંપ્રદાય), શ્રી રાજચંદ્ર મુમુક્ષુ મંડળનાં પદાધિકારીઓએ શ્રાવક-શ્રાવિકાઓને ઉત્સાહ ભેર જોડાવવા અપીલ કરી છે.
સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગુ્રપ્સ જેમ કે મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સંગીની મીડટાઉન, ડાઉન ટાઉન, એલીટ, જૈન જાગૃતિ સેન્ટર-મેઇન, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ તેમજ પ્રભાવનાની વ્યવસ્થામાં શ્રી સરદારનગર યુવક મંડળ જોડાશે.