કોરોના હવે જીવન સાથે વણાઈ ગયો છે, નવો વેરીયન્ટ ઘાતક નથી, કો-શિલ્ડ વેકસીન ટુંક સમયમાં મળશે : મંત્રી પટેલ

01 April 2023 05:10 PM
Rajkot Saurashtra
  • કોરોના હવે જીવન સાથે વણાઈ ગયો છે, નવો વેરીયન્ટ ઘાતક નથી, કો-શિલ્ડ વેકસીન ટુંક સમયમાં મળશે : મંત્રી પટેલ

ગત અઠવાડીયામાં રાજયમાં 400 કેસો : લોકોએ ડર નહીં પણ સાવધાની રાખવાની જરૂરી

રાજકોટ, તા. 1 : રાજકોટ સહિત રાજયભરમાં છેલ્લા 15 દિવસથી કોરોનાની મહામારીએ માથુ ઉંચકવાનું શરૂ કર્યુ છે. કોરોનાના કેસોમાં ઉછાળો આવવા લાગેલ છે. આ મહામારીને નાથવા માટેની કો-શિલ્ડ વેકસીનની હાલ અછત પ્રવર્તી રહી હોય આ સંદર્ભે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે

કો-શિલ્ડ વેકસીન હવે ટુંક સમયમાં જ મળવા લાગશે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજયમાં ગત અઠવાડીયે કોરોનાના 400 જેટલા કેસો નોંધાયા છે. આ માટે ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું હતું. કોરોનાએ લોકોના જીવન સાથે વણાય ગયો છે. કોરોનાનો નવો વેરીયન્ટ ઘાતક નથી પણ લોકોએ તેનાથી સાવધાની રાખવી જરૂરી છે.


Related News

Advertisement
Advertisement