નોટબંધી બાદ ATM થી રોકડ ઉપાડ 235 ટકા વધ્યો

26 May 2023 11:32 AM
India
  • નોટબંધી બાદ ATM થી રોકડ ઉપાડ 235 ટકા વધ્યો

માર્ચ 2023માં 2.85 ટ્રીલીયનનો ઉપાડ: કેસ સર્ક્યુલેશનમાં પણ મોટી વૃધ્ધિ

નવીદિલ્હી તા.26
કેન્દ્રએ નવેમ્બર 2016માં નોટબંધીની લાગુ કરી ત્યારથી ડેબિટ કાર્ડના ઉપયોગથી માસિક એટીએમ રોકડ ઉપાડમાં 235 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે એમ એક અહેવામાં જણાવાયું હતું. ડિસેમ્બર 2016માં ઉપાડેલા રૂા.84,934 કરોડની સરખામણીએ માર્ચ 2023માં રૂા.2.85 ટ્રીલીયન ઉપાડવામાં આવ્યા હતા. એપ્રિલ, 2020 અને મે 2021ના ઉપાડ મૂલ્યો કરતા માર્ચમાં ઉપાડ 121.33 ટકા અને 40.88 ટકા વધુ છે.

સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડિયા કેશ વાઈબ્રન્સી રિપોર્ટ 2023ના તારણો દર્શાવે છે કે નોટબંધી પછી ભારતીય અર્થવ્યવસ્થામાં કેસ ઈન સકર્યુલેશન (સીઆઈસી) બમણા કરતા પણ વધુ છે. ડિસેમ્બર 2016માં ભારતનું સીઆઈસી ઘટીને રૂા.9.43 ટ્રીલીયન થયું હતું. જોકે, માર્ચના અંતે કુલ સીઆઈસી રૂા.33.8 ટ્રીલીયન હતી તે દર વર્ષે વધી રહી છે. માર્ચ 2023ના અંતે રૂા.33.80 ટ્રીલીયન પર, એપ્રિલ 2022ના અંતે રૂા.32.09 ટ્રીલીયનથી સીઆઈસીમાં વાર્ષિક 5.33 ટ્રીલીયનની સરખામણીમાં ત્રણ વર્ષના આધારે વૃધ્ધિ 33.98 ટકા છે.

વધુમાં, સીઆઈસીથી કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) રેશિયો એફવાય 18 અને એફવાય 23 વચ્ચે 10.7 ટકાથી 14.39 ટકાની રેન્જમાં હતો. દસ વર્ષની સરેરાશ 11.8 ટકા છે. અહેવાલ ભારતીય અર્થતંત્રમાં રોકડની સુસંગતતા અને મહત્વ દર્શાવે છે. તે વ્યાપક નાણાકીય સમાવેશ માટે મહત્વપૂર્ણ છે અને સમાજમાં દરેક માટે સુલભ હોય તેવી અનુકૂળ અને ઓછી કિંમતની ચુકવણી પ્રણાલી પ્રદાન કરે છે. અમે માસિક સરેરાશમાં 10.1 ટકા વૃધ્ધિ જોઈ છે. એટીએમ પર રોકડની ભરપાઈ અને એફવાય 23માં ઈ-કોમર્સ કંપનીઓ સાથે પોઈન્ટ દીઠ સરેરાશ રોકડ સંગ્રહમાં મજબૂત 1.3એકસ વધારો થયો હોવાનું સીએમએસ ઈન્ફો સિસ્ટમ્સના કેશ મેનેજમેન્ટ સર્વિસીસના પ્રેસિડેન્ટ અનુષ રાઘવને જણાવ્યું હતું.

અહેવાલ દર્શાવે છે કે સમગ્ર ભારતમાં એટીએમ રોકડ ભરપાઈમાં નાણાકીય વર્ષ 23માં 16.6 ટકાની વૃધ્ધિ જોવા મળી હતી. કર્ણાટકમાં એફવાય 23માં એટીએમ દીઠ રૂા.1.73 કરોડની સૌથી વધુ વાર્ષિક સરેરાશ રોકડ ભરપાઈ જોવા મળી હતી, જે એફવાય 22 દરમિયાન એટીએમ દીઠ રૂા.1.46 કરોડની ભરપાઈ કરતાં 18.1 ટકા વધુ હતી. કર્ણાટક પછી છત્તીસગઢ અને આંધ્રપ્રદેશનો નંબર આવે છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં વસ્તીનો નોંધપાત્ર હિસ્સો બેંક વગરનો છે, ઔપચારિક બેંકીંગ સેવાઓની કોઈ એકસેસ નથી. આ વ્યકિતઓ વ્યવહારો કરવા માટે તેમના પ્રાથમિક માધ્યમ તરીકે દરરોજ રોકડ વપરાશ પર આધાર રાખે છે. સુવિધા ઓફર કરવા છતાં ડિજિટલ પેમેન્ટ્સ માટે સુરક્ષાની ચિંતા રહી છે. રોકડ અને ડિજિટલનું યોગ્ય સંતુલન આપણા જેવી તેજીવાળી અર્થવ્યવસ્થાને ઉપર તરફ લઈ જશે, એ અમારો વિશ્ર્વાસ છે, રાઘવને ઉમેયું હતું.


Related News

Advertisement
Advertisement