રાજસ્થાનનાં અકસ્માતમાં મૃતકોનાં પરિવારને 4 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી

13 September 2023 05:19 PM
Ahmedabad Gujarat
  • રાજસ્થાનનાં અકસ્માતમાં મૃતકોનાં પરિવારને 4 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી

ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય: મુખ્યમંત્રીએ દિલસોજી પાઠવી

ગાંધીનગર તા.13
રાજસ્થાનનાં જયપુર નેશનલ હાઈવેમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભાવનગરના પ્રવાસીઓનાં મૃત્યુ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દિલસોજી પાઠવી છે સાથે ઈજાગ્રસ્તો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

મુખ્યમંત્રીએ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેકનાં પરિવારજનને રૂા.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.50 હજારની સહાય ગુજરાત સરકાર આપશે તેવી જાહેરાત કરી છે. દુ:ખની આ ઘડીમાં રાજય સરકાર મૃતકોનાં સ્વજનો અને ઈજાગ્રસ્તોની પડખે છે. મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement