રાજકોટ,તા.18
પશ્ર્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે.
જેના કારણે રાજકોટ ડિવિઝન થી પસાર થનારી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનોં ની વિગત નીચે મુજબ છે:
રદકરાયેલીટ્રેનો
1) 18 સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ.
2) 18 સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19217બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રદ.
શોર્ટટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનોમાં
1) 17 સપ્ટેમ્બર 2023ના રોજ, હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12268હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશન પર શોર્ટટર્મિનેટ કરવામાં આવી હતી.
2) 17 સપ્ટેમ્બર 2023 ના રોજ, પોરબંદરથી ઉપડનારીટ્રેન નંબર 19016પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને વિરમગામ
સ્ટેશન પર શોર્ટટર્મિનેટ કરવામાં આવી હતી.
ટ્રેનો ના સંચાલન સંબંધિત વિગતવાર માહિતી માટે,મુસાફરો કૃપા કરીના www. enquiry. indianrail. gov.inની મુલાકાત લઈ શકે છે.