ધોરાજી: જયાબેન સોઢાનું અવસાન-ચક્ષુદાન કરાયું

20 September 2023 12:50 PM
Dhoraji
  • ધોરાજી: જયાબેન સોઢાનું અવસાન-ચક્ષુદાન કરાયું

માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 181મું ચક્ષુદાન

ધોરાજી તા.20
ધોરાજીમાં જયાબેન સોઢાનું અવસાન થતા ચક્ષુદાન કરાયું હતું. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને આ 181મું ચક્ષુદાન મળ્યું હતું. જયાબેન હરીલાલ સોઢા (રહે.મુળ જામનગર વાળા) પોતાની પુત્રીને ઘેર ધોરાજી આવેલ હતા તેઓની એકાએક તબીયત લથડતા સારવારમાં આવતા સારવાર દરમ્યાન મરણ જતા પરીવારજનોએ ચક્ષુદાન કરવા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પીટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન ડો. ગૌરવ હાપલીયા અને મેડીકલ ટીમના દિપક ભાસ્કર અને નીતીન સાગઠીયા સહીતનાઓએ સેવા બજાવી ચક્ષુદાન પ્રક્રિયા કરી હતી.

આ તકે શિલ્પાબેન વિજયભાઈ ચૌહાણ, નિતાબેન પંકજભાઈ જાની, સવીતાબેન ચૌહાણ, ઉષાબેન સોલંકી, મુકેશભાઈ જાદવ, મનહરભાઈ ચૌહાણ, હેમાલીબેન ચૌહાણ સહીતના હાજર રહેલ.

આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ સોઢા પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. જયાબેનને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ તા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પીટલને આ 181મું ચક્ષુદાન મળેલ હતું.

ચક્ષુદાન દેહદાન સ્કીન ડોનેશન માટે મો.નં. 98987 01774, 9898715775 અને સરકારી હોસ્પીટલના ફોન નં. 02824/ 220139 પર સંપર્ક કરવા જણાવાયું છે.


Advertisement
Advertisement
Advertisement