રાજકોટ,તા.23 : સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્તમાં હાજર રહેલ કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે પણ જામનગર-અમદાવાદ વંદે ભારતને સાણંદમાં સ્ટોપ આપવાની જાહેરાત કરી છે.સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન કંપનીની એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી અશ્ચીની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ-જામનગર વચ્ચે શરૂ થનાર વંદે ભારત ટ્રેનને લઈ કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેરાત કરાઇ હતી. જેમાં તેમણે કહ્યું કે, સાણંદમાં વંદે ભારતનો સ્ટોપ આપવામાં આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આગામી સમયમાં સાણંદમાં વર્લ્ડ ક્લાસ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે.