વાંકાનેર સ્ટેશનને સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેનનો મળ્યો સ્ટોપેજ

25 September 2023 11:21 AM
Morbi
  • વાંકાનેર સ્ટેશનને સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેનનો મળ્યો સ્ટોપેજ

ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાશે: ઉતારૂઓની સુવિધામાં વધારો

(લિતેશ ચંદારાણા)
વાંકાનેર તા.23

સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે. જે જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે. જે ટ્રેનને જામનગરથી અમદાવાદ વચ્ચે છ સ્ટોપ આપવામાં આવ્યા છે જેમાં જામનગરથી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે. સૌરાષ્ટ્રને મળેલી પ્રથમ વંદે ભારત ટ્રેનનું રવિવારે જામનગરના હાપા રેલવે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી વર્ચ્યુઅલ રીતે જોડાઈ ફલેગ ઓફ કરશે. તેમજ વંદે ભારત ટ્રેનને જામનગરના હાપા રેલવે સ્ટેશનથી સાંસદ પૂનમબેન માડમ ફલેગ ઓફ આપશે. વાંકાનેરને સૌરાષ્ટ્રની પહેલી આ વંદે ભારત ટ્રેનને વાંકાનેર સ્ટેશન ખાતે સ્ટોપેજનો લાભ મળ્યો છે જેમાં આવતીકાલ રવિવારના તા.24થી હાપાથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. આ ટ્રેન વહેલી સવારે 5-30 વાગ્યાથી રવાના થશે અને સપ્તાહમાં છ દિવસ ટ્રેન દોડશે.

ત્યારબાદ વંદે ભારત ટ્રેનનું રાજકોટ ખાતે સ્ટોપ વખતે સ્વાગત થશે. તેવી જ રીતે વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતીમાં સ્ટોપ સમયે સ્વાગત કરાશે. જયારે અમદાવાદ ખાતે ટર્મીનલ સ્વાગત કરાશે.

જામનગરથી 5-30 વાગ્યે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ થઈને સાબરમતી સવારે 10-10 કલાકે પહોંચશે. તેમચ ચારથી સાડા ચાર કલાકમાં જ અમદાવાદથી જામનગર અને જામનગરથી અમદાવાદ પહોંચી શકાશે. વધુમાં સાબરમતીથી સાંજે છ વાગે નીકળશે વંદે ભારત એકસપ્રેસ જે રાત્રીના 10-30 કલાકે જામનગર પહોંચી જશે.


Advertisement
Advertisement
Advertisement