ખંભાળિયામાં સારસ્વત બ્રહ્મ સમાજ દ્વારા સત્કાર કાર્યક્રમ યોજાયો

25 September 2023 03:50 PM
Jamnagar
  • ખંભાળિયામાં સારસ્વત બ્રહ્મ સમાજ દ્વારા સત્કાર કાર્યક્રમ યોજાયો

ખંભાળિયાની બ્રહ્મ સમાજને સેવા સંસ્થા શ્રી સારસ્વત બ્રાહ્મણ સમાજ દ્વારા શનિવારે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ખાસ ઉપસ્થિતિમાં બ્રહ્મપુરી ખાતે સ્નેહ-સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સતવારા અગ્રણી હરિભાઈ નકુમ, આહિર અગ્રણી ભીમશીભાઈ ચાવડા, નથુભાઈ ચાવડા, નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ રચનાબેન મોટાણી તથા મનુભાઈ મોટાણી, જેમીનીબેન યોગેશભાઈ મોટાણી, વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખંભાળિયા સારસ્વત બ્રાહ્મણ સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમના હસ્તે આમંત્રિતોને સન્માનિત કરવામાં આવ્યા હતા. (તસ્વીર : કુંજન રાડીયા)


Advertisement
Advertisement
Advertisement