રાજકોટમાં રમાનાર ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા વન ડે મેચમાંથી અક્ષર પટેલ બહાર

25 September 2023 05:40 PM
India Sports
  • રાજકોટમાં રમાનાર ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા વન ડે મેચમાંથી અક્ષર પટેલ બહાર

એશિયા કપ 2023માં થયેલી ઈજામાંથી સ્વસ્થ ન થતા છેલ્લી મેચમાં પણ આઉટ

નવીદિલ્હી,તા.25
ભારતીય ઓલ રાઉન્ડર અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામે રાજકોટમાં રમાનાર ત્રીજા વન ડે મેચમાંથી બહાર થઈ ગયો છે. 27મી સપ્ટેમ્બરે યોજાનાર આ મેચ માટે પોતાની ફીટનેસ સાબીત કરવાનો મોકો હતો કારણ કે તે વર્લ્ડ કપ 23 ટીમનો ભાગ છે. જો કે તે હજુ સુધી એશિયા કપ 2023 દરમિયાન થયેલી ઈજામાંથી સ્વસ્થ નથી થઈ શકયો.

આ પરિસ્થિતિમાં તે વન ડે સીરીઝની છેલ્લી મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ઈજાને કારણે અક્ષર પટેલ એશિયા કપ 2023 ફાઈનલ નહોતો રમી શકયો, તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને મોકો અપાયો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement