તેજપુર બાદ આસામની નેશનલ લો યુનિ. પણ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મની રજા આપશે

06 November 2023 02:16 PM
Education India Top News Woman
  • તેજપુર બાદ આસામની નેશનલ લો યુનિ. પણ વિદ્યાર્થીનીઓને માસિક ધર્મની રજા આપશે

પશ્ચિમી દેશોમાં શરૂ થયેલી પરંપરા ભારતમાં આગળ વધી

નવી દિલ્હી,તા.6
વિશ્વમાં મહિલાઓને માસિક ધર્મ સમયે જે પીડા થાય છે તેમાં રાહત આપવા એક બાદ એક દેશો આ સમયગાળામાં મહિલાઓને ખાસ રજા આપવાનો જે સિલસિલો ચાલુ થયો છે તેમાં ઉતર પુર્વની વધુ એક યુનિ.એ જોડાવાનું પસંદ કર્યુ છે.

ગુવાહાટીની નેશનલ લો યુનિ. એન્ડ જયુડીશ્યલ એકેડેમી આસામ એ ઉતર પુર્વની બીજી યુનિ. બની છે જે મહિલા વિદ્યાર્થીઓ અને શિક્ષિકાને માસિક ધર્મની રજા આપશે. અગાઉ તેજપુર યુનિ.એ આ પ્રકારની રજા મંજુર કરી હતી.

જો કે આ માટે કોઈ કાનુન નથી પણ યુનિ. ઓથોરીટીએ એક પત્રમાં જણાવ્યું કે, જે વિદ્યાર્થીનીની હાજરી 65 ટકા કે તેથી વધુ હશે તેને જ રજા અપાશે. છતાં પણ કોઈ ચોકકસ હિતના માનવીય અભિગમ દર્શાવાશે. પ્રારંભમાં આ રજા ત્રણ દિવસની હશે અને તે આધારે વિદ્યાર્થીનીને અભ્યાસ ન બગડે તે પણ નિશ્ચિત કરાશે.


Related News

Advertisement
Advertisement
Advertisement