► તા.17 થી 24 જાન્યુ દરરોજ બપોરે 4 થી 7 કથાનું રસપાન: અંદાજે ર5 હજારથી વધુ શ્રોતાઓ કથાનો લાભ લેશે: તમામ ભાવિકો માટે દરરોજ રાત્રે મહાપ્રસાદ
► દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યામાં ભવ્ય રામમંદિર દેશની જનતા માટે ખુલ્લું મુકાશે, એ યાદગાર સંભારણું બનાવવા આ કથાને ભાગવત કે રામ નામ અપાશે
► ટુંક સમયમાં વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો સાથે બેઠકો યોજાશે: સાંસદ રામભાઈ મોકરીયા: વડીલોને કથા શ્રવણનો લાભ મળે તે માટે કરાશે બસની વ્યવસ્થા
રાજકોટ,તા.17 : જાન્યુ. રાજસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને રેસકોર્ષ મેદાન ખાતે શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. પૂ.શ્રી રમેશભાઈ ઓઝાની રાજકોટમાં 848મી કથા યોજાશે.આ અંગેની વિગતો આપવા ‘સાંજ સમાચાર’ના આંગણે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી આવેલા હતાં.
સૌરાષ્ટ્રના પાટનગર સમા અને રાજકોટના હદય સભા રેસર્કોષ ગ્રાઉન્ડ ખાતે પૂજય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને 848મી કથા રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ યોજાશે તા.17 થી 24 જાન્યુઆરી દરરોજ સાંજે 4 થી 7 કથાનું રસપાન કરાવાશે : અંદાજે 25 હજાર થી વધુ શ્રોતાઓે કથાનો લાભ લેશે તમામ ભાવિકો માટે દરરોજ રાત્રે મહાપ્રસાદનું આયોજન રામભાઈ મોકરીયા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર દેશની જનતાને દર્શન માટે ખુલ્લુ મુકાશે એ યાદગાર સંભારણું બનાવવા આ કથાને ર ભાવગત કે રામ 2 નામ અપાશે.
ભવ્ય સમીયાણો ઉભો કરાશે:- અંદાજે 1 લાખથી વધુ આમંત્રણ પત્રિકા અને રપ હજારથી વધુ કંકોત્રી રવાના કરાશે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યકમનોનું આયોજન દરરોજ સવારે સેવાસેતુ કેમ્પ યોજાશે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભવ્ય સમયાળામાં 10 થી વધુ રૂષીમુનીઓને રૂષીમુનીઓ તેમજ તીર્થસ્થળોઓના નામથી ખંડ બનાવવામાં આવશે સીનીયર સીટીઝનો માટે ખુરશીની અલગ વ્યવસ્થા કરેલ છે.રાજકોટમાં પૂજય ભાઈશ્રીની ભાગવત કથામાં હુ માત્ર નિમિત આ કથાના યોગ અને સંયોગમાં શહેરીજનોના આશિર્વાદ રૂપી આ આયોજન સફળ બનશે. ટુંક સમયમાંજ વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો સાથે બેઠકો યોજાશે વિવિધ સમીતીઓની રચના કરાશે.
ભાવગત સપ્તાહ અંતરગત ત્યારીઓનો પ્રારંભ : રામભાઈ મોકરીયા વડીલોને આ કથા શ્રવણનો લાભ મળે તે માટે બસની વ્યવસ્થા કરાશે. રાજય સભાના સાસંદ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બહમસમાજના અગ્રણી રામભાઈ મોકરીયા પિરવાર દ્વારા આગામી જાન્યુઆરી માસમાં 17 થી 24 દરમ્યાન સૌરાષ્ટ્રના પાટનગર સમા રેસર્કોષ ગ્રાન્ઉન્ડ ખાતે સુપ્રધ્ધિ ભાગવત કથાકાર પુજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત જ્ઞાન સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ છે આ ભાગવત સપ્તાહ અંતર્ગત માહિતી આપતા સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યુ હતુ કે રાજકોટએ સાંસ્કૃતિક અને આધ્યામિક નગરી છે
ત્યારે રાજકોટ હમેશા અન્ય શહેરો કે રાજયોમાં આફતોને પહોચી વળવા માટે સક્ષમ છે ત્યારે રાજકોટ માટે કહી શકાય કે રાજકોટ યોગી છે ઉપયોગી છે પરીશ્રમીને ઉધોગી છે ત્યારે રાજકોટની ધરાઉપર પુજય ભાઈશ્રીના મુખેથી ભાગવત કથાનું રસપાન કરવાનો રાજકોટ વાસીઓને એક અમુલ્ય અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું અને અમારો મોકરીયા પરીવાર આ કથા માટે નિમિત બન્યા છીએ આ અંતર્ગત વધુ માહિતી આપતા સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યુ હતું કે રેસર્કોષ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જગ્યામાં અદ્યતન સમયાણો ઉભો કરવામાં આવશે અને વાંગમય સ્વરૂપ એવા ભાવગતજી માટે એક સુંદર વ્યાસપીઠ તૈયાર કરવામાં આવશે તેમજ એક અદ્યતન ભાગવતોના પ્રસંગોને આબેહુબ ચિત્રો તૈયાર કરવામાં આવશે. તેમજ આ કથા માટેના અંદાજે 1 લાખથી વધુ પત્રિકાઓ રવાના કરવામાં આવશે તેમજ 25 હજારથી વધુ કંકોત્રીઓ રવાના કરવામાં આવશે તેમજ 25 હજાર લોકો આ ભાગવત કથાનું રસપાન કરી શકે
તે માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તેમજ આ સમયાણામાં અલગ અલગ રૂષીમુનીઓ અને દેવતાઓના નામથી ખંડ બનાવવામાં આવશે. રાજકોટના દુર દુરના વિસ્તારોમાંથી વડિલો કથાનું રસપાન કરવા આવે અને તેમને આવવા જવા માટેની અવડતા ન પડે તે માટે અને ધુનમંડળના બહેનો ને આવવા જવા માટે બસની સ્પેશ્યલ વ્યવસ્થા ગોઠવવામાં આવશે આ કથામાં સાધુ સંતો રાજકીય આગેવાનો વિવિધ સમાજના અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે અને દરરોજ સાંજે 4 વાગે કથાનો પ્રારંભ અને સાંજે 7 વાગ્યે સમાપન બાદ તમામ ભાવિકો ભક્તો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે
સાંસ્કૃતિક કાર્યક્રમો:- ભાગવત કથા એ જીવ અને શીવનું મિલન કરનારી કથા છે આ કથા માણસના જીવનમાં આદિ વ્યાથી અને ઉપાધીને મટાડનારી કથા છે. ત્યારે આ કથામાં દરરોજ રાત્રે ભવ્યાતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવમાં આવેલ છે. જેમો જાણીતા સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા લોકડાયરો હસાયરો તેમજ શ્રીનાથજી ઝાંખીનો ભવ્ય ક્રાર્યકમ યોજાશે આ કથાના માધ્યમથી જરૂરીયાત મંદ લોકોને કેન્દ સરકાર અને રાજય સરકારનો લાભ મળે અને પ્રાથમીક જરૂરીયાત પુર્ણ થાય તેવા આશયથી દરરોજ સવારે સેવા સેતુના કાર્યકમનુ ઓયોજન કરવામાં આવેલ છે. તેમજ આ કથા શ્રવણ કરનાર ભાવિકોને અગવડતા ન પડે તે માટે પાદરળા ગાંદલા તકીયા ખુરશી પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.તેમજ ટ્રાફીક વ્યવસ્થાને ધ્યાનમાં રાખવામાં આવશે તેમજ ચા-કોફી, સરબતની પણ વ્યવસ્થા કરવામાં આવશે આ સમયાણામાં અદ્યતન એલઈડીની વ્યવ્થા કરવામાં આવશે અને સોશ્યીલ મીડીયાના માધ્યમથી દેશ વિદેશ અને જન જન સુધી પહોચે તે માટે અદ્યતન ટેકલોજીનો ઉયોગગ કરવામાં આવશે.
વિવિધ પ્રસંગો ઉજવાશે:- અંતમાં સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યુ હતુ કે પુજય ભાઈશ્રીની આ ભાગવત કથામાં વિવિધ પ્રસંગોનું ધામધુમથી ઉજવણી કરવામાં આવશે જેમાં ખાસ કરીને પોથી યાત્રા ગપણતી સ્થાપન પુજન,ગોર્વધન પુજન, રૂક્ષ્મણી વિવાહ, નૃષી જન્મ, કિપીલ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમજ કથા સ્થળ પર ડોકટરોની ટીમ, તેમજ એમ્બુલનસ, ફાયર બ્રીગેડ તેમજ ઈમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે. આ કથામાં વિવિધ સમીતીઓની રચના કરવાંમાં આવેલ છે તેમજ પંચનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા રસોડા, પાર્કિગ, પાણી, જેવી મુખ્ય જવાબદારીઓ સંભાળવામાં આવશે. આ કથા દરમ્યાન અયોધ્યા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું લાઈવ પ્રસારણ કથા મંડપમાથી નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેમજ આ કથાનો લાભ આ કથાના માધ્યમથી પંચનાથ હોસ્પીટલ અને જયુએનાલ ડાયાબીટીસના બાળકોને વધુ સહયોગ સાપડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવેલ છે.
આ કથાના પાસ નીચે મુજબ વિગતે વિના મુલ્યે મળશે.
1. પંચનાથ મંદિર,લીમડા ચોક, રાજકોટ. કલ્પનાબેન રામાવત .-97374 24121
ર. શ્રી પુરૂષાર્થ પુવક મંડળ, પુજય રણછોડદાસજી આશ્રમ, પ્રાથમિક શાળા નં.15, બકુલભાઈ પરમાર -94290 98863
3. એવર માસ્ટર ઈવેન્ટ એન્ડ ડેકોર, સીટી સેન્ટરની સામે, રૈયા રોડ, રાજકોટ. અપુલ દોશી-9033046475
4.બોલબાલા ટ્રસ્ટ ઓફીસ, મીલપરા મેઈન રોડ, રાજકોટ. 93744 42044
5. શ્રી મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ, નાનામવા મેઈન રોડ, અજમેરા સામે, મવડી, રાજકોટ.
શ્રી રામભાઈ મોકરીયા પરિવારએ રાજકોટ સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઉપરોક્ત સ્થળેથી પાસ મેળવી લેવા અનુરોધ કરેલ છે. પાસ મેળવવાનો સમય સવારે 10 થી 1 સાંજે 4:30 થી 7 :00 રાખેલ છે.
જાન્યુ.માં યોજાનાર ભાગવત કથાના પાસ નીચે જણાવેલા સ્થળો પરથી વિનામૂલ્યે વિતરણ કરાશે
રાજકોટ તા.17 : જાન્યુ.માં યોજાનાર ભાગવત કથાના પાસ નીચે જણાવ્યા સ્થળો પરથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાશે.
1. પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ, (કલ્પનાબેન રામાવત- 97374 24121),
ર. પુરૂષાર્થ યુવક મંડળ, પુજય રણછોડદાસજી આશ્રમ, પ્રાથમીક શાળા નં.15, (બકુલભાઈ પરમાર- 94290 98863),
3. એવર માસ્ટર ઈવેન્ટ એન્ડ ડેકોર, સીટી સેન્ટરની સામે, રૈયા રોડ, રાજકોટ (અપુલ દોશી- 90330 46475),
4. બોલબાલા ટ્રસ્ટ ઓફીસ, મીલપરા મેઈન રોડ, રાજકોટ (93744 42044),
5. શ્રી મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ, નાનામવા મેઈન રોડ, અજમેરા સામે, મવડી રાજકોટ ખાતે વ્યવસ્થા કરી છે.
રામભાઈ મોકરીયા પરિવારે રાજકોટ સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઉપરોક્ત સ્થળેથી પાસ મેળવી લેવા અનુરોધ કરેલ છે. પાસ મેળવવાનો સમય સવારે 10થી1 સાંજે 4.30 થી 7.00 રાખેલ છે.પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા છ-સાત વર્ષ બાદ રાજકોટમાં યોજાઈ રહી છે ત્યારે ભાવિકો પૂ. ભાઈશ્રીની અમૃતવાણીનો અલભ્ય લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે.
ભાગવત કથા અંતર્ગત 27 દીકરીઓનો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન
રાજકોટ તા.17 : રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા જાન્યુઆરીમાં યોજાનાર ભાગવત કથા દરમ્યાન 27 દીકરીઓનો સર્વજ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાં યોજાનાર છે.આ અંગે સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે સમૂહ લગ્નોત્સવની વ્યવસ્થાની જવાબદારી દેવાંગભાઈ માંકડને સોંપી છે તેમજ ‘દીકરાનું ઘર’ ના મુકેશભાઈ દોશીનો પણ સહયોગ મળી રહ્યો છે.
ભાગવત કથા સ્થળ પર સેવાસેતુ કેમ્પનું આયોજન
રાજકોટ તા.17 : ભાગવત કથાના દિવસોમાં દરરોજ સવારે કથાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને કેન્દ્ર સરકાર તથા રાજય સરકારની યોજનાનો લાભ ઉપલબ્ધ થાય તથા પ્રાથમીક જરૂરિયાતો પરિપૂર્ણ થાય તેવા આશયથી રેસકોર્ષ મેદાન પર કથાના સ્થળે સેવાસેતુ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.