ગુજરાત અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારી મગનભાઈ મકવાણા તથા લેબર ઓફીસર મહેપાલસિંહ ચુડાસમાની સૂચનાથી માધવપુર ગામે કર્મચારીઓએ શ્રમિકોને બોલાવી તેમને ખાતા તરફથી શ્રમ કાર્ડ આપવામાં આવેલ છે. શ્રમિકોને અનેક પ્રકારના લાભો આપવામાં આવેલ છે. શ્રમિકોને અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે. મકાન ખરીદવા માટે લોન અને સહાય આપવામાં આવે છે. તેમજ જીવનવીમા યોજના હેઠળ શ્રમયોગીને ઉપર 18થી 55 સુધીનાને રૂા.2 લાખ તેમજ શ્રમિકોને વાર્ષિક રૂા.436 અથવા પ્રમીયમના 100 રકમ તથા શ્રમયોગીના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાય સુવિધા જેવી અનેક લાભો મળે તેની જાગૃતિ આપવામાં આવી હતી.