સાળંગપુર,તા.20
સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્યશતા મૃતમહોત્સવમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મહાઅન્નકૂટના મુખ્ય યજમાન શ્રી પાર્થ આશિષભાઈ ધકાણ -મુંબઈ, અન્નકૂટના સહયજમાન અ.નિ.મુમણભાઇ સોમાભાઈ ભરવાડ હ.જીગરભાઈ ભરવાડ અમદાવાદ દ્વારા કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં સવારે ધરાવાયો હતો તેમજ વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા લાલજી મહારાજના અને વડીલ સંતો દ્વારા મહા અન્નકૂટની આરતી કરવામાં આવી હતી.
આજે પહેલીવાર 57 હજાર કિલો ફ્રુટનો અન્નકૂટ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ સમક્ષ અર્પણ કરાયો હતો. મહત્ત્વનું છે કે, આ અન્નકૂટમાં દાદા સમક્ષ મૂકવામાં આવેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની ગર્વમેન્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.