ધોરાજીમાં ઝેરી દવા પીને યુવાનનો આપઘાત

20 November 2023 12:26 PM
Dhoraji
  • ધોરાજીમાં ઝેરી દવા પીને યુવાનનો આપઘાત

નબળી આર્થિક સ્થિતિથી ભયુર્ં અંતિમ પગલું

ધોરાજી તા.20 : ધોરાજીમાં યુવાને આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ઝેરી પ્રવાહી પીને આત્મહત્યા કરી લીધાનો બનાવ બનેલ છે. જેના કારણે ત્રણ નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ધોરાજીના કૈલાશનગરની બાજુમાં આવેલ નાભીરાજ સોસાયટીમાં રહેતા યુવાન રમેશભાઈ કેશુભાઈ પરમાર (ઉ.33) ઝેરી પ્રવાહી પી જતા ધોરાજી સરકારી દવાખાને સારવારમાં આવતા મરણ ગયેલ. આ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ મરણ જનારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અને પરીવારનું ભરણ પોષણ ન થતુ હોવાથી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે બીટ જમાદાર ભીમજીભાઈ ગંભીર તપાસ ચલાવી રહેલ છે.


Advertisement
Advertisement
Advertisement