સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોલેજ ખાતે ‘મારો મત,મારો અવાજ: રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાયો

Local | Surendaranagar | 06 May, 2024 | 01:10 PM
મતદાન જાગૃતિ માટે યોજાયેલી રેલીએ નગરજનોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું:પોલીસ અધિકારી સહિતના રહ્યા ઉપસ્થિત
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.6
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિની આ શ્રુંખલાનાં ભાગરૂપે લોકશાહીના અવસરમાં લોકો વધુમાં વધુ લોકો મતદાન કરીને સહભાગી થાય તેવા આશયથી એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે "રન ફોર વોટ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જનરલ ઓબ્ઝર્વર જયસિંઘ (આઈ.એ.એસ.), જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેક્ટર કે.સી. સંપટ, ખર્ચ ઓબ્ઝર્વર અમિતકુમાર મિશ્રા (આઈ.આર.એસ.), જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા સહીતના અધિકારીઓએ દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. 

આ કાર્યક્રમ મોટી સંખ્યામાં શહેરીજનો, ગઈઈ કેડેટ્સ, ઉકજજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. એમ.પી.શાહ સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ મતદાન જાગૃતિ સંબંધિત રેલી આંબેડકર ચોક, ટાવર ચોક, કલેકટર કચેરી ગેટથી જવાહર ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. આ સમગ્ર રૂટ પર પીવાના પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર રૂટ પર મતદાન જાગૃતિના સંદેશો આપતી સ્ટેન્ડીઓ, બેનર, સેલ્ફી પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યા હતા.

મતદાન જાગૃતિ માટે યોજાયેલી આ રેલીએ નગરજનોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. રેલીમાં જોડાયેલા તમામ લોકોએ પોતાના પરિવારની સાથે આસપાસના લોકોમાં પણ અવશ્ય મતદાન કરવાનો સંદેશો ફેલાવવા પ્રતિબદ્ધતા દાખવી હતી.

આ કાર્યક્રમમાં સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટે જણાવ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં મહત્તમ લોકો સહભાગી થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ સંબંધિત સઘન અભિયાન દરેક જિલ્લામાં ચલાવવામાં આવ્યું છે.જે અંતર્ગત આજે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.7 મેના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયામાં વધુમાં વધુ જિલ્લાવાસીઓને ભાગ લઈને આગામી અગાઉની ચૂંટણીઓના મતદાનના રેકોર્ડ તોડવા અને લોકશાહીને વધુ સશક્ત કરવા જણાવ્યું હતું.

મતદાન વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મતદાન મથકમાં મોબાઈલ ફોન પ્રતિબંધિત હોય તમામ મતદારોને મતદાન વખતે મોબાઈલ ફોન સાથે ન લઈ જવા જણાવ્યું હતું. મતદાન માટે ચૂંટણીની સ્લીપને ઓળખનો પુરાવો તરીકે ન ગણવા અને ઓળખના પુરાવા તરીકે મતદાર ઓળખકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના 12 માન્ય પુરાવા દ્વારા મતદાન કરી શકાશે.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલન રાવ, વઢવાણ પ્રાંત અધિકારી એન.ડી.ધુળા, જિલ્લા સ્વીપ નોડલ અધિકારી એ.એમ.ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj