(વિપુલ હિરાણી )
ભાવનગર તા.6
ભાવનગર જીલ્લા ના તળાજાના ગોરખી દરવાજા રોડ પર આજે યોજાઈ રહેલા બાળલગ્ન ને 181 અને બાળ લગ્ન પ્રતિબંધ અધિકારી એ પોલીસ ની મદદ લઇ ને અટકાવ્યા હતા.પોલીસે જણાવ્યું હતુ કે દુલહન અને દુલ્હો બંને કાયદા મુજબ નિકાહ ની ઉંમર ના ન હતા.બંને પક્ષનું નિવેદન લેવામા આવ્યું હતું.
ચકચાર મચાવતા બનાવ ની 181 ની ટીમ પાસે થી મળતી વિગતો મુજબ આજે સવારે 181 ને તળાજા ની તમન્ના નો ફોન આવેલહતો.તમન્ના ની તમન્ના ન હતી કે પોતાના બાળ લગ્ન થાય.જેને લઈ 181 ની ટીમ ને ફોન કરતા ટીમ તળાજા ખાતે દોડી આવેલ.181 ના પોલીસ નિશાબા વાળા એ માહિતી આપતા જણાવ્યું હતુ કે સગીરા દુલહન નોજ કોલ આવ્યો હોય તપાસ અર્થે દોડી આવ્યા હતા.તળાજા પોલીસ ની મદદ લઇ ને તપાસ હાથ ધરી હતી.
નિકાહ સ્થળ ગોરખી દરવાજા રોડ પર આવેલ સમાજ ની જગ્યા હોય સૌપ્રથમ ત્યાં તપાસ કરતા સગીરા દુલહન મળી આવેલ ન હતી.વધુ તપાસમાં બ્યૂટીપાર્લર ખાતે મોકલી આપવામાં આવેલ.તપાસ મા જે છોકરીના નિકાહ હતા તેની ઉંમર માત્ર પંદર વર્ષ એક માસ હતી. જ્યારે અમદાવાદ થી નિકાહ કરવા આવેલ દુલ્હો પણ વિસ જ વર્ષ નો હોય કાયદા ની દ્રષ્ટિએ બંને નિકાહ કરવા ની ઉંમર ધરાવતા ન હતા.આથી બંને પક્ષના વ્યક્તિઓ વિરુદ્ધ ફૌજદારી રાહે ગુન્હો નોંધવાના બદલે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા અમોને લગ્ન કરવા માટે કઈ ઉંમર હોવી જોઈએ તેનો ખ્યાલ ન હોય તેવું નિવદેન નોંધેલ હતું.નિકાહ થતા અટકાવ્યા હતા.વરરાજા પક્ષ બોટાદના લાખિયાણી ના મૂળ રહેવાસી છે તેઓ હાલ અમદાવાદ રહેતા હોય ત્યાંથી જાન લઈને તળાજા આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy