જુનાગઢ, તા.25
જૂનાગઢ શહેરના નિવાસી 104 વર્ષીય રૂપીબેન કરંગીયા આગામી તા.7 મે ના રોજ પરિવારજનો સાથે તેમનો કીંમતી મત આપી અન્યોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રેરણા આપશે.
જૂનાગઢ શહેરના રામદેવપરા વિસ્તારમાં રહેતા 104 વર્ષના મતદાતા રૂપીબેન કરંગીયા લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં યુવાનો માટે પ્રેરણારૂપ બનશે. રૂપીબેને જણાવ્યું હતું કે, મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જો અમારા જેવા 100 વર્ષ વટાવી ચૂકેલા મતદારો મતદાન કરવા ઉત્સાહપૂર્વક જઈ શકતા હોય તો એ યુવાનોએ પણ અવશ્ય મતદાન કરવું જોઈએ.
રૂપીબેન ગર્વથી વધુમાં કહે છે કે, તેમણે લગભગ દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. અને આ ચૂંટણીમાં પણ હું મારા પરિવારજનો સાથે અવશ્ય મતદાન કરીશ. તેમણે મતદાનના દિવસે કોઈપણ બહાનું બતાવ્યા વગર જરૂરથી પોતાનો કિંમતી મત આપવા અન્ય નાગરિકોને અપીલ પણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy